________________ : છેવટે બને તરફને આગ્રહ વંધતો જતો હતો એટલે, તે હારની રકમ ધર્માદામાં આપવાનું નકકી થયું. આ પછી જિનદાસ શેઠ જિનપાળ અને તેની પત્ની બધાય મુનિરાજ પાસે જઈ પિત પિતાની ભૂલોને પ્રશ્ચાતાપ કરે છે અને પ્રાયશ્ચિત સ્વીકારીને શુદ્ધ થાય છે. * આવા અનેક બીજા દાખલાઓ મળી આવશે. જ્યાં શેઠો છાની મદદ કરતા, ગરીબોને ધંધે લગાડતા એટલું જ નહીં પરદેશ જતા હોય ત્યારે ઘણાને સાથે પણ લઈ જતા; એ રીતે તેમને પગભર કરતા. કદાચ કોઈ માગી ન શકે તો તેની ચોક્કસાઈ કરી, છાની કે આડકતરી રીતે મદદ કરવાનું તેઓ ચૂકતા નહીં. : - સૌરાષ્ટ્રમાં શામળશા શેઠ થઈ ગયા, એક વખત એમને ત્યાં પુત્રવધુના સીમંતનો પ્રસંગ હતો. ગામની બહેને મંગળગીત ગાવા તેમને ઘેર ભેગી થઈ. બીજી તરફ ઘેર લાડવા મૂકવા માટે વળાતા હતા. શેઠે પિતાના પુત્રને કહ્યું : “દીકરા મોટા મોટા ઘરમાં તો રેજ મિઠાઈઓ ખવાતી હોય છે એટલે એમાંથી કોઈને ભૂલી જવાય તો ચાલશે. પણ, ગરીબ અને મધ્યમવર્ગના લોકોમાંથી એકને પણ ભૂલ્યો તો મને આ લાડવા ગળ્યા લાગશે નહીં. સાથે જ પેલી યાદી તો લઈ આવ-જેમાં ગરીબ, મધ્યમ વર્ગનાં નામ લખેલાં છે. એમને ત્યાં લાડવા મોકલવા કરવાનું ધ્યાન હું રાખીશ !" થઇ આવી હતી ગરીબ ભાઈઓ અને બહેને તરફ ધનવાનોની આત્મીયતાની દૃષ્ટિ ! જેના લીધે તેમની પાસેનું ધન ગરીબોને ખૂચતું નહીં. તેઓ એમ જ માનતા કે પૈસાદારે તે અમારી રિઝર્વ બેંક છે. જ્યારે અમને જોઈશે ત્યારે અમે તેમની પાસેથી જ લઈ શકીશું. અમારે ધનને સંગ્રહ કરવાની જરૂર શું છે! . . . - શામળશા શેઠનો દીક ગરીબ અને મધ્યમ વર્ગની યાદી ઉપાડી લાવ્યો. શેઠે તે યાદી પ્રમાણે દરેક માટે સહેજ મોટા ચાર ચાર લાડવા બનાવતી વખતે દરેકમાં બબ્બે સોના મહોર મૂકી. અને તેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust