SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ રાષ્ટ્રને તેમાંથી જરૂરનું અપાવવાનું અને તેને પગભર કરવા માટે તેને ચિંતન કરવું જોઈશે. વિશ્વ વાત્સલ્યની દૃષ્ટિએ તેવા કરકસરથી રહેશે અને અભાવથી જે પ્રાંતો પીડાતા હશે તે પ્રાંતિને મદદ પહોંચાડવા માટે પ્રેરાશે અને શક્ય તેવા પ્રયત્ન તે કરી છૂટશે. ઈગ્લાંડનો દાખલો લઈએ. તે લોકો લડાઈના જમાનામાં, રાષ્ટ્રવત્સલથી પ્રેરાઈને, રેશનથી જેટલું અનાજ મળતું; કંટ્રલથી જેટલું કપડું મળતું તેનાથી ચલાવતા અને થીગડાં મારીને પણ કપડાં ચલાવતાં. એમાં ઘણા એવા પણ હતા જે કાળાંબજારમાંથી કે વધારે પૈસા આપીને ખરીદી શકે એવી સ્થિતિમાં હતા. તે છતાં એ લોકો એવું નહોતા કરતા. કઈ ભારતવાસીએ એક ગ્લાંડવાસીને પૂછ્યું કે તમે બ્લેક દુઃખ વેઠી રહ્યા છે ? ત્યારે તેમણે જવાબ આપે : “તથી અમારા રાષ્ટ્રને મોટું નુકશાન પહોંચે છે. આવી મર્યાદાથી અમારા રાષ્ટ્રની મર્યાદા જળવાય છે. જે અમે એ મર્યાદા તોડી દઈએ તો અમારા બીજા દેશવાસી ભાઈઓને સામગ્રી પૂરતી ન મળવાથી કષ્ટ વેઠવું પડશે. એટલે રાષ્ટ્રભકિતની દષ્ટિએ પણ અમારે આ મર્યાદા મૂકવી નહીં જોઈએ.” આ ઉપરથી સમજી શકાય છેરાષ્ટ્રવત્સલ લોકે સરકાર દ્વારા લાગુ કરેલ મર્યાદાનુ કાળજી પૂર્વક પાલન કરે છે તે આપણા દેશવાસીઓએ તે સ્વેચ્છાએ તેવી મર્યાદા લાગુ કરી તેને પાળવી જોઈએ. તેજ રાષ્ટ્રવાત્સલ્ય સાધી શકાય. જેને સમાજ વાત્સલ્ય સાધવું હોય તેણે પોતાની સંપત્તિ સમાજની ગણવી જોઈએ. (સમાજ–વાત્સલ્ય એટલે સાધમ વાત્સલ્ય એવી તારવણી અગાઉ થઈ ચૂકી છે.) પિોતે મેળવેલી સંપત્તિ, સમાજ દ્વારાજ ઉપાર્જિત કરેલ છે અને પોતે એ સંપત્તિને ટ્રસ્ટી છે એમ તેણે માનવું જોઈએ. એટલે જયારે જયારે સમાજને જરૂર પડે ત્યારે ત્યારે પોતે કષ્ટો વેઠીને, કરકસર કરીને પણ તેણે સમાજને આપવી જોઈએ. આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy