SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ 239 લોકમાનસમાં રહેલી ટૂંકી દૃષ્ટિ જ આવા ભેદભાવ ઊભા કરે છે. પછી પિતાના મનથી બીજે જરાક વિરૂદ્ધ જ હોય તો તેની નિંદા અને વગેવણી શરૂ થાય છે. આનાથી જે બીજે દોષ પ્રવેશે છે તે દોષદષ્ટિ અને નિંદાશોખીને ધીમે ધીમે તે વિકસીને અતિશયોક્તિ સુધી પહોંચે છે અને પછી તે સીમા-ઉલ્લંધન દરેક સ્થળે કરે છે. આના કારણે સત્યશ્રદ્ધા વ્રતમાં દેશ અતિચાર પ્રવેશે છે. ગાળ, નિંદા, ધૃણા, દ્વેષ એ બધાં અસત્યનાં ઉદ્દભવ સ્થાને છે. એવી જ રીતે આત્મપ્રશંસા, શેખી અતિશયોક્તિ એ પણ અસત્પાદક છે. એટલા માટે જ નિદા-પ્રશંસા પરિહાર નામનું ઉપવ્રત સત્ય-શ્રદ્ધાવત સાથે રાખવામાં આવ્યું છે. પિતાની સાથે કોઈને મત ન મળતું હોય તો તેને સમજવાને પ્રયત્ન કરવો જોઈએ. એ મતનો આશય સારો છે કે ખરાબ એ પણ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ અને આશય જેવો લાગતો હોય તેનું નમ્ર પ્રતિપાદન કરવું જોઈએ. આમ છતાં પણ જે કોઈ આપણું ધ્યાન તેના મૂળભૂત સત્ય તરફ દોરે અને એની અનુભૂતિ થાય તો તે સ્વીકારવા તત્પર રહેવું જોઈએ. આમ ન થાય તો મતમતાંતરમાંથી મોટા ઝઘડા ઊભા થતા જોવામાં આવે છે. એક દાખલો લઈએ. એક વખતે એક દેશના રાજાને ખબર મળ્યા કે બીજા દેશને રાજા તેના રાજ્ય ઉપર ચડાઈ કરવા આવી રહ્યો છે. રાજાને આ ખબર મળતાં જ તેણે શું કરવું જોઈએ તે અંગે એક સભા લાવી અને સભાસદોની રાય માંગી: શત્રુથી રાજય રક્ષા કરવા માટે આપણે શું કરવું જોઈએ, તે કહે ! . . ; , આ સાંભળી એક એજિનીયરે આગળ આવીને કહ્યું. “નગરની ચોમેર ફરતી એક ખાઈ ખદાવી અને તેના કિનારે એક સળંગ જાડી ભીત ચણાવી દેવી જોઈએ.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy