________________ 230 સત્ય શ્રદ્ધામાં બહારથી નિધુરતાને લીધે તોડવાની વૃત્તિ દેખાય એ બની શકે, પણ ખરું જોતાં સામી વ્યકિતના અંતરને જોડવાની દષ્ટિ એમાં પડેલી હોય છે. સત્યશ્રદ્ધામાં પોતે મક્કમતા દાખવીને બીજાને પણ તેજ તરફ આણવાની વૃત્તિ હોય છે અને આત્મીયભાવ પિતાપણાને ભાવ ન હોય તે તે નજ બની શકે. ઘણા વિચારો-સાધકો એમ સમજી જાય છે કે સત્યશામાં જે પિતાનાથી માન્યતામાં જરાક જુદો પડ્યો, એની સાથે સંબંધ તોડવાની કે એની સાથે અલગતા સેવવાની વાત છે. ખરું જોતાં એવું છે જ નહીં જ્યારે સત્ય માટે કોઈ પણ આગ્રહ સેવે છે ત્યારે તેના દિલમાં સતત બીજાના ભલાનું ભાન હોય છે. એને લાગે છે કે પેલી વ્યક્તિ જૂઠું બોલે છે. એ એના તથા સમાજના હિતમાં ખરાબ છે માટે મારે એને સત્ય બતાવવું જોઈએ ! આવી આત્મહિતની લાગણી ત્યાં સતત પિતાપણું સાંધતી હોય છે. " ખરૂં જેવા જતાં સત્યના અલગ અલગ પાસાંઓ છે. આપણે સમજીએ અને માનીએ તેટલું જ સત્ય છે, તે સિવાયનું બધું જ મિથ્યા એમ માનવું વધારે પડતું છે. એટલા માટે જન ધમેં સત્યને ઓળખવા અનેકાંતની વાત કરી છે. અનેકાંતવાદને અર્થ એજ છે, કે બીજાના દષ્ટિકોણ પણ જુઓ અને તેને સમજીને તે સત્યને પણ આદર આપે. બીજાના વિચારે પિતાનાથી વિરૂદ્ધ છે માટે ખરાબ છે એમ કહીને તેને ફેંકી ન દેવાય તેની સાથે સહાનુભૂતિ રાખી ઊંડાણથી વિચારવામાં આવે અને પછી તે સત્ય-સર્વહિતકારી ન લાગતું હોય તો તેને મૂકી શકાય છે. પૂર્ણસત્ય દરેક માણસની પકડમાં આવતું નથી. સત્યના એક કે અનેક અંશને પકડીને તે બીજા અંશને તરછોડી દેતા હોય છે. એ બરાબર નથી, ત્યાં જ તે મિથ્યા-ષ્ટિ બની જાય છે. ' અનેકાંતવાદમાં સાત આંધળાનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે. એક વખત સાત આંધળા એક હાથીને તપાસવા લાગ્યા કે હાથી કેવો છે ? એ કેવો હોય તેની એમને ખબર નહતી. એકે કહ્યું “હાથી તે કોઠી જેવડી છે. : : : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust