________________ અપર્ણતાની મૂતિઓ તો હેય છે; એમાં નમ્રતા, કમળતા અને ક્ષમા એ ત્રિવેણી સંગમ રહેલો છે. જે એ ત્રિવેણીને સારા માર્ગે વળાંક આપવામાં આવે તો તેમાંથી એ પ્રેરણા મૂર્તિ જાગે તો તે અનેકને માર્ગદર્શન આપનારી બને, એ નિઃશંક છે. એજ કોશા જે હૃદયનીઅંતરની દીક્ષા ન પામત તો, સ્થૂલિભદ્રના ગુરુભાઈ મુનિ, જે પાછળથી કોશાને ત્યાં ચાતુર્માસ ગાળવા આવ્યા અને પતનમાં પડવા જતા હતા; તેમને પતનમાં પડતા કોશા અટકાવી ન શકત. તેઓ બીજે કયાં ય જાત તો તેમનું પતન પણ થાત. એટલે નારીના દેહને બદલે, તેનું હૃદય, તેનું અંતર કે તેના આત્માના સ્પર્શ વડે બ્રહ્મચર્યનું લક્ષ્ય સારી પેઠે સાધી શકાય છે; એટલું જ નહીં એ માગે તે જોખમો વખતે પ્રેરણું પણ મળી શકે છે. બ્રહ્મચર્યને સમાજ વ્યાપ્ત બનાવવા માટે સર્વપ્રથમ તો એની સર્વાગી સાધના જરૂરી છે. જેમને એને સમાજવ્યાપી બનાવવું છે તેમણે, નારીના અંગત ઘડતર દ્વારા તેમજ નારી સાધિકાના આદર્શ વડે, સમાજને વ્યાપક પ્રેરણા આપીને બ્રહ્મચર્યને સમાજવ્યાપી કર્યું છે. એ દષ્ટિએ તેમણે સંસ્થા વડે બ્રહ્મચર્યને સમાજ વ્યાપી બનાવ્યું છે. ' ભગવાન મહાવીરે ચતુર્વિધ સંઘની સ્થાપના કરતાં પહેલાં એક -પછાત પડી ગયેલી નારી-ચંદનબાળા જેવીના હાથે ગોચરી લેવાને અભિગ્રહ-(સંક૯૫) કર્યો. એની પાછળ શું રહસ્ય હતું ! તે એ જ કે પાર્શ્વનાથ પ્રભુથી ચાલતી આવતી ચાતુર્યામ પરંપરામાં તેમને બ્રહ્મચર્ય વ્રતનો ઉમેરો કરવો હતો અને તેને સમાજવ્યાપી બનાવવાનું હતું. તેમ કરવા માટે અને બ્રહ્મચર્યની સર્વાગી સાધના કરવા માટે ચંદનબાળા જેવી તરછોડાયેલી છતાં વાત્સલ્યમૂર્તિ નારીને તેમણે સાધ્વી-સઘની શિર-છત્રા બનાવી. તેમણે, ચંદનબાળાના સહકારથી નવ સમાજની સર્વાગી રચના સફળ રીતે કરી અને સાધ્વીઓના માધ્યમ વડે તેમણે બ્રહ્મચર્યને વિધેયાત્મક રીતે સમાજવ્યાપી વિકાસ સાધવામાં સફળતા સિદ્ધ કરી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust