SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ [, રપ એજ વસ્તુનું વિવેચન કરતાં તત્વાર્થસૂત્રના ભાગ્યકાર કહે છે : “વિઘ કવીરાજarf છત (વાત્સ) विशेषायपरिमित गुणप्रीति पुरुर्षाः परमसुख तृप्ता भवन्ति !" એ ઉચ્ચ કક્ષાના દેવોને પાંચ પ્રકારની વિષયેચ્છાને ઉદય હોતો નથી; એવું નથી પણ, તેઓમાં પ્રેમ (વાત્સલ્ય) ભાવ વધારે હોવાથી, અપરિમિત ગુગે પ્રત્યે અત્યંત પ્રીતિ હેવાથી પરમ આનંદથી તૃપ્ત થઈ જાય છે. વૈદિક પરિભાષા પ્રમાણે આને ક્રમશઃ અન્નમય, પ્રાણમય, મનેમય, વિજ્ઞાનમય કોષને અંતે બ્રહ્મમાં વિચરણ કરવાની આનંદમય કોષની ભૂમિકા માનવામાં આવી છે. આનંદમય કોષમાં વિચરણ કરતો બ્રહ્મચારી સ્ત્રીના શરીરસ્પર્શમાં નહીં પણ તેના અતરસ્પર્શમાં વાત્સલ્ય - રસનો સાચે આનંદ મેળવે છે. એવી ઉચ્ચ કક્ષાના સાધક સ્ત્રોમાં વાસનાને બદલે વાત્સલ્યને નિહાળે છે. વિશ્વ વાત્સલ્ય ગુણની વધારેમાં વધારે પ્રાપ્ત નારી-હૃદય (અંતર)થી મળી શકવાની હેઈ તે માતૃજાતિની પ્રતિષ્ઠા સમાજમાં સ્થાપે છે. તે એ વાત્સલ્યાનંદ, અનંત જગતની સાથે તાદાપૂર્વકની તટસ્થતા અનુભવીને મળે છે અને તેને અનુભવ જાતે કરે છે અને બીજાને કરાવે છે. સ્થૂલિભદ્ર વડે કેશાને હૃદય સ્પર્શ નગરનારી કશામાં અશક્ત થયેલા શૂળભદ્રને ગૃહસ્થાશ્રમમાં, પિતાના પિતાના મરણના સમાચાર મળે છે, તે એક આંચકો અનુભવે છે અને કોશા વેશ્યાને છોડીને, વૈરાગ્ય પામી મુનિ બને છે. મુનિ જીવનમાં તેઓ વાત્સલ્ય રસમાં તરબોળ બની જાય છે. વર્ષો બાદ એકવાર મુનિ સ્થૂલભદ્ર ચિંતનમાં લીન થઈને વિચારે છેઃ “મેં ગૃહસ્થાશ્રમમાં રહી વર્ષો સુધી કોશા સાથે શારીરિક વિષય સુખ ભોગવ્યા; પણ જે આનંદ અંતરના સ્પર્શમાં છે; આત્માની સાથે ઓતપ્રોત થવામાં છે, તે રસ વિષય સુખમાં નથી. હું આજે એકલે જ આ આત્માનંદ–વાત્સલ્યને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy