SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ 7. [2] સમાજ (માનવજાતિ) [3] સમષ્ટિ ( ઈતર જીવ સૃષ્ટિ). એ * ત્રણે ય મળીને આખું વિશ્વ એક એકમરૂપે બને છે. . : * * વાત્સલ્ય શબ્દનો અર્થ સામાન્ય રીતે બધા વહાલ કે પ્રેમ એ કરે છે. ખરેખર વાત્સલ્ય શબ્દને અર્થ એથી પણું વ્યાપક છે. તેને ભાવ માતૃભાવ સાથે વધારે બંધબેસતો છે. જેમકે એક માતા પિતાના બાળકને ચાહે છે પણ સાથે જ તેને સંરક્ષણ આપે છે અને તેના જીવનને પિતાના સ્તનપાનથી પિષણ આપે છે અને બાળક માના ખોળામાં આવીને જગતના બધા દુઃખો અને ભયને ભૂલી જાય છે. આ બધા પવિત્ર-ભા વાત્સલ્યમાં આવી જાય છે. વાત્સલ્ય એટલે પ્રેમ સાથે જીવન વિકાસ અને તેની સંરક્ષકતા તેમ જ અભયનું સર્વશ્રેષ્ઠ સ્થાન. આમ આખા વિશ્વ સાથે વાત્સલ્ય ભાવ કેળવવો એટલે કે દરેક જીવનને સંરક્ષણ આપી તેને વિકાસ થવા દેવો તેમ જ અભયવૃત્તિ કેળવવી એ વિશ્વ વાત્સલ્ય છે. વિશ્વ સાથે વાત્સલ્ય કેળવવું, સાધવું કે કરવું એને એવો સ્પષ્ટ અર્થ છે. '- શું આવું વિશ્વવાત્સલ્ય સાધી શકાય ખરું! જ્યારે ઘરની અમુક વ્યક્તિઓ સાથે પણ તે સાધી શકાતું નથી; તેમ જ દરેક માણસ આખું વિશ્વ જોઈ શકતા નથી તો શું વિશ્વ વાત્સલ્યના ધ્યેયને પહોંચી શકાય ? એક માણસ ભલે આખા વિશ્વમાં ન પહોંચી શકે; પણ જે તે સમાજના દરેક માણસોને અને સમષ્ટિનાં દરેક પ્રાણુઓને; પિતાનાં જ અંગ રૂપે માની, આત્મીયતા કેળવે, સંયમ અને અહિંસાને પથે પિતે ચાલે અને બીજાને જવાની પ્રેરણા આપે. પિતાનાં જીવનને અનિષ્ટોથી દૂર રાખે અને બીજાનાં જીવનને અનિષ્ટોથી દૂર રાખી; સંરક્ષણ અને સંવર્ધન સમપે છે ત્યારે આપોઆપ વિશ્વ વાત્સલ્ય સધાય છે. મુનિશ્રી સંતબાલજી કહે છે કે “વ્યક્તિ, સમાજ અને સમષ્ટિ સાથે અતૂબંધ (ધ્યેયપૂર્વક સંબંધ) જોડાયા પછી વિશ્વવાસલ્યની સાધના સરળતાથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy