________________ [10] વિશ્વ વાત્સલ્યમાં બ્રાચર્ય વિચાર [25-9-61]. –મુનિશ્રી નેમિચંદ્રજી વિશ્વવાત્સલ્યના બાર વ્રતોના પરિચય રૂપે આ અગાઉ વિચાર થઈ ચૂકી છે. તેમાં વિશ્વ વાત્સલ્યનાં જે ત્રણ મૂળવતો છે:-(૧) બ્રહ્મચર્ય (2) સત્યશ્રદ્ધા (3) માલિકી હક મર્યાદા. તેના ઉપર અલગ અલગ જરા વિસ્તારથી વિચાર કરી લે લેગ્ય ગણાશે. આ મૂળવતે અને તેમનાં ઉપવનોની યોજના યોગાનુરૂપ નવી દષ્ટિએ કરવામાં આવી છે, એટલે મૂળ અંગે જેટલું સ્પષ્ટ અને સવિસ્તાર વિવેચન થાય તેટલું જ તે વિષયને સમજવામાં અને તે મુજબ આચરણ કરવામાં સરળતા રહે છે. આજે બ્રહ્મચર્યવ્રત ઉપર નવી દ્રષ્ટિએ વિચાર કરવાને છે. વિશ્વવાત્સલ્ય અને બ્રહ્મચર્યને હમેશાં અતિ નિકટનો સંબંધ છે. વિશ્વવાત્સલ્ય માટે જેમ બ્રહ્મચર્ય અનિવાર્ય છે તેમ બ્રહ્મચર્યની સંપૂર્ણતા પણ વિશ્વ વાત્સલ્ય પ્રગટાવવામાં પરિણમે છે. એ દષ્ટિએ બ્રહ્મચર્યને કેવળ “મૈથુન સેવવું નહીં” એટલોજ નિષેધાત્મક ટુંક અર્થ લેવાનું નથી. બ્રહ્મચર્ય અંગે અલગ અલગ પ્રકારની વ્યાખ્યાઓ સાંભળવા મળે છે. એક તો ઉપર કહેવામાં આવી તે પ્રકારની નિષેધાત્મક વ્યાખ્યા છે. પણ તે એક તરફી છે, સંપૂર્ણ નથી. મહાત્મા ગાંધીજીએ પાંચે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust