________________ વ્રતનિષ્ઠાનો પ્રભાવ : " - શ્રી સવિતાબહેને કહ્યું : “એક બહેનની વાત આ પર્યું પણ પર્વ અંગે કહું છું. તે બહેને પૂછ્યું: “તમે તપ કરે છે એ જાણી મને નવાઈ લાગે છે. ચૌવિહાર, સામાયિક, પ્રતિક્રમણ બધું યે કરે છે. કેટલાંક તો આગળ વધીને આ બધાંને તરછોડે છે, જ્યારે તમે તે સર્વધર્મ સમવયમાં માનવા છતાં ભગવાન મહાવીર અને અહિંસા વગેરેમાં ઘણું માને છે. સમજણ તેમ જ જ્ઞાનમય ત્યાગથી બધી ક્રિયાઓ પણ કરો છો, આ જ ખરેખર સત્યદ્રષ્ટિ છે. તમને આવા સતપુરૂષના સત્સંગને લાભ મળે છે, અમને કયારે મળશે ?" * તે પછી તેમણે પૂછ્યું: “સંતબાલજી મુનિ મુહપત્તિ પણે રાખે છે ?" . ' ' ' કહ્યું: “મન વખતે ન રાખવી અને બોલતી વખતે કે જરૂર વખતે રાખવી, આમ તેઓ કહે છે.” - આ બધું જોઈ ખુલાસો સાંભળી તે ખુશી થયાં. આવા તો કેટલાયે પ્રસગો શિબિર દરમ્યાન જોવા મળે છે, શ્રી બ્રહ્મચારીજીએ દયારામ ભગતે શેરસિંહને સુધાર્યો તેની વાત જણાવી હતી. એવી જ રીતે એક સંતે વેશ્યાને સુધારી તેને દાખલો આપ્યો હતો. સર્વિક્ષેત્રની ધર્મકાંતિ શા માટે? શ્રા દેવજીભાઈ કહેઃ “જૈન પરંપરામાં કુંદકુંદાચાર્ય જેવા તત્ત્વ સુધારક થયા. હેમચંદ્રાચાર્ય જેવા સંસ્કૃતિના ક્રાંતિકાર થયા અને લોકશાહ જેવા ધર્મક્રાંતિકાર થયા. છતાં તેમણે સર્વ ક્ષેત્રે ધર્મક્રાંતિની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust