SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ 194 વૃદ્ધિ-પુષ્ટિ થતી હોય, સાચે ધર્મ ઝંખવાતો હોય; સંખ્યા લોભમાં. પડીને સાચા સિદ્ધાંત એક કોરે મૂકાતા હોય તો વ્રતોમાં ફેરફાર કરવાની જરૂર છે; એમ સમજવું જોઈએ. - કેટલીકવાર એવું પણ બને છે કે વ્રતો સર્વગ્રાહ્ય ન થતાં, તેના નામે દંભ, ધણું, દ્વેષ વ. અનર્થો પોષાય છે. આ વાત ધર્મના વિકાસને રૂંધનારી છે. માટે યુગદષ્ટિએ તેમાં સુધારાવધારો થવો જોઈએ. મહાત્મા ગાંધીજીએ સ્વરાજ્ય અને એક એકતાની દૃષ્ટિએ આખા દેશનું ઘડતર કરવા માટે અહિંસાદિ મૂળ પાંચતો સાથે, અભય, સ્વદેશી, શરીરશ્રમ, અસ્પૃશ્યતાનિવારણ, સર્વધર્મ સમભાવ અને અસ્વાદ નામનાં ઉપવતો પણ ગોઠવીને રજૂ કર્યા હતાં. આજે તેમના અવસાન બાદ અને સ્વરાજ્ય આવવાથી ઘણી વસ્તુઓમાં ફેરફાર થયો છે, તેમજ ઝડપી વાહન વહેવારે વિશ્વને નાનું કરી મૂક્યું છે, એટલે આખા વિશ્વને સાંસ્કૃતિક દષ્ટિએ એક અને એકાગ્ર કરવાનું છે. આ બદલાયેલી પરિસ્થિતિને લક્ષ્યમાં રાખીને આજે વ્રતો અને ઉપવ્રત વિચારવા પડશે. આ નવી વ્રત યાજના વખતે પૂર્વવ્રતોનું અનુસંધાન–મેળ તો રહેશે જ. રખે કોઈ માને કે પૂર્વ પુરૂષોએ ગોઠવેલાં વ્રતો આનાથી કાઢી નાખવામાં આવે છે અથવા પૂર્વવતોનું ખંડન થઈ જાય છે. એ પૂર્વત્રતાને સમાવેશ આજની નવી વ્રત આયોજનામાં થઈ જાય છે. વ્રતોની ગોઠવણી પાછળની ભૂમિકા : આજે વ્રતોને નવી ઢબે ગોઠવતી વખતે ત્રણ વસ્તુઓનો ખ્યાલ રાખવો પડશે. તે આ પ્રમાણે છે - (1) તે વ્રતો, આજના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ-ભાવને અનુરૂપ, પલટાતા વિશ્વને દૃષ્ટિમાં રાખીને ગેઠવાવાં જોઈએ. (2) તે વ્રતો, સમગ્ર સમાજવ્યાપી એટલે કે સર્વગ્રાહ્ય બની શકે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy