SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ 189 કર્યો છે. તેમાં પણ હિંદુધર્મ અને જૈન ધર્મમાં એના ઉપર ઉંડાણથી . વિચાર કરવામાં આવ્યો છે. એટલે સત્યને જે સામાજિક રૂપ આપવું હેય તે સત્યવ્રત “જુઠું ન બેલવું” એવું નિષેધાત્મક હોવાને બદલે વિધેયાત્મક હોવું ઘટે છે. તે કેવળ બોલવામાં નહીં પણ તત્ત્વજ્ઞાન. અને આચરણમાં પણ મૂકી શકાય; એ રીતે વિચારવું ઘટે છે. તત્ત્વ, - વિચાર, (ભાવ) વાણી, તેમજ બીજા સાધનો, અને મન, વચન, કાયા થકી થતી પ્રવૃત્તિઓમાં, સર્વભૂતહિત રૂપ સત્યને વિચાર કરવામાં આવે અને તે મુજબ આચરણ કરવામાં આવે તો જ તે સાધના પાકી અને સર્વાગી થઈ શકે. સત્ય બહુજ વ્યાપક અને અવ્યકત છે. એટલે તેને જલદી ગ્રહી શકાતું નથી અને તે વહેવારૂ બની શકતું નથી. તે માટે તેને વહેવારૂ બનાવવા માટે સત્યશ્રદ્ધા એટલે કે સત્ય ઉપરની દઢ નિષ્ઠા. એ નામ રાખવામાં આવ્યું છે. * * * * બુદ્ધિભ્રમ, સ્વાર્થ તેમજ બીજા આવરણોને લઈને સત્ય ન સમજાય, તો પણ, જે મહાપુરૂષાએ સત્યને શોધ્યું છે, આચર્યું છે તેમના ઉપર શ્રદ્ધા રાખી, તે સત્યને અનુસરવું જોઈએ. આજ સત્યશ્રદ્ધા વ્રતનું રહસ્ય છે. - સત્યને જુદા જુદા ક્ષેત્રોમાં રહેતા માણસો પોતપોતાની કક્ષા પ્રમાણે ગ્રહણ કરશે તે વખતે પણ કક્ષા પ્રમાણે આંશિક સત્યનું આચરણ અને પરમ સત્યની તરફની નિષ્ઠા રાખવી પડશે.. . આ વ્રતને સારી પેઠે આચરવા માટે ત્રણ ઉપવ્રતો ગોઠવવામાં આવ્યા છે - (1) સર્વ ધર્મ ઉપાસના એટલે કે બધા ધર્મોમાં રહેલાં સત્યોને તારવવાં, (2) નિંદાસ્તુતિ-પરિહારે એટલે કે બીજાની નિંદા તેમજ પિતાની લાધા કરવાની વૃત્તિને ત્યાગ (3) ક્ષમાપના, એટલે કે દરેક ક્ષેત્રમાં ભૂલ થાય, બીજાને અન્યાય થાય તેની શુદ્ધિ માટે ક્ષમાપના કરવી. . . . ; ; ; - આ ત્રણે ય વ્રતો સત્યશ્રદ્ધા વ્રતના પર્ષક અને રક્ષક છે. . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy