SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ 154 સતત ખ્યાલ રાખશે, જેથી બન્નેને લાભ સમાજને મળશે. અનુબંધનું કર્મચક્ર, સતત પાદવિહાર, ભિક્ષાચારી અને તેના કારણે થતા ઊંડા જનસંપર્ક વડે ચલું રહેશે. તે ઉપરાંત પ્રાર્થના પિતે કરશે અને તે ઉપરાંત સંધ્યા, પ્રતિક્રમણ કે આત્મનિરીક્ષણ પણ કરશે. (11) સત્યતા, વીરતા અને અગુપ્તતા : વિધવાત્સલ્યની નીતિનિષ્ઠાનું છેલ્લું સૂત્ર એ છે કે વિશ્વ વાત્સલ્યનો સાધક વીરતાપૂર્ણ સાચો અને ખુલ્લો વહેવાર કરશે. તે વહેવારની દરેક બાબતમાં સચ્ચાઈને આગ્રહ રાખશે. એટલું જ નહીં, તે કોઈ પણ પ્રકારની કાયરતાને જરા પણ સ્થાન નહીં આપે. તેમજ તે કોઈની શેહશરમમાં તણાઈને પણ કાયરતા લાવશે નહીં. તે પિતાના દેષો હશે તે વીરતાપૂર્વક ખુલ્લા કરશે અને સમાજના અનિષ્ટ તત્ત્વોને પણ ઉઘાડા પાડશે. તેનું જીવન સ્વચ્છ અને બધા માટે ખુલ્લું રહેશે એટલે કે તે પિતાની દરેક પ્રવૃત્તિમાં કોઈ પણ પ્રકારની ગુપ્તતા રાખશે નહીં. આ સિદ્ધાંતનું આચરણ દરેક સંસ્થા પોતપોતાના ધોરણે યથાયોગ્ય કરશે. ઉપર મુજબ વિશ્વવાત્સલ્યની નીતિનિષ્ઠાનાં અગિયાર સૂત્રે રજુ કરવામાં આવ્યા છે. આ અગિયાર સૂત્રો તો વિશ્વાત્સલ્યમાં માનનારી અથવા વિશ્વવત્સલ સાધકની પ્રેરણાથી ઊભી થનાર દરેક સંસ્થાઓ કે તેમાં કામ કરનારી વ્યક્તિઓમાં, નીતિના પાયાના ચણતર રૂપે તેવાં જોઈએ. આ નીતિનિષ્ઠા હશે તે વિશ્વ વાત્સલ્યની ધર્મનિષ્ઠા આચરવામાં સરળતા થશે. ચર્ચા-વિચારણું નીતિ અને અનીતિ શ્રી પૂજાભાઈએ વિશ્વાત્સલ્યની આચાર નિષ્ઠાના અંગ રૂપ નીતિ-નિષ્ઠાના મુદ્દા ઉપર ચર્ચા શરૂ કરતાં કહ્યું - “નકકી કરેલા સમાજ બંધારણના નિયમોને અનુસરવું એ નીતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy