________________ [1] વિશ્વવાત્સલ્ય, સર્વોદય અને કલ્યાણરાજ [ તા. 19-7-61] –મુનિશ્રી નેમિચંદ્રજી વિશ્વને સુખી કરવા માટે, તેમાં વસેલાં જીવોના કલ્યાણ માટે જગતમાં પ્રાચીન કાળથી આજ સુધી અલગ અલગ પ્રકારની ઘણી વિચારધારાઓ રજુ કરવામાં આવી છે. જ્યારે જ્યારે લોકસમૂહમાં દુઃખ, સંતાપ કે કલેશ વધે છે ત્યારે ત્યારે વિચારકો આગળ આવીને તેમનાં સુખ, શાંતિ અને કલ્યાણ માટે પોતાની રીતે વિચારધારાઓ રજૂ કરે છે; યોજનાઓ ઘડે છે અને લોકસમૂહને તે રીતે નવિનતા લાવી, નવી રીતે જીવવાને આદેશ આપે છે. આને લોકક્રાંતિ કહી શકાય. આ લેકક્રાંતિની અંદર ઊંડાણમાં એક જ ઉદ્દેશ્ય રહેલો હોય છે–અને તે છે માનવજીવનની એક વ્યવસ્થિત પ્રણાલિકાને સ્થાપિત કરવી; જેનાથી લોક-જીવનમાં સુમેળ બન્યો રહે. - આ વિચારસરણીઓ જગત સમક્ષ જુદા જુદા ધર્મોના નામે રજૂ થઈ જુદા જુદા વાદના નામે પ્રગટ થઈ તેમ જ જુદી જુદી ભાવનાઓ રૂપે રજૂ થઈ. પાશ્ચાત્ય દેશોમાં આજે મુખ્યત્વે ભૌતિકવાદને સ્થાન આપવામાં આવેલ છે. મૂડીવાદી લોકશાહીને લ્યો કે સામ્યવાદી મજૂર સરમુખત્યારશાહીને ધો. બન્નેનાં અંતિમ ધ્યેય રૂપે તો માનવજીવનનાં ઉચ્ચતમ ભૌતિક સુખો જ છે. લોકો દ્વારા વધુ ધન મેળવી, તેને ઉપયોગ તેમનાં અનિયંત્રિત ભૌતિક સુખો અંગે કરવામાં મૂડીવાદ માને .P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust