________________ 139 બેની ખાટી પ્રતિષ્ઠા વધી ગઈ છે. કોળાંબજાર કે અનીતિ કરીને પૈસો. રળનાર એકાદ વ્રત ગ્રહણ કરે છે તેની પ્રતિષ્ઠા થાય છે. મૂળ તો પાંચ વ્રત–અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ છે. તે | લીધાં વગર તેને પોષનાર વ્રતો લેવાને કઈ અર્થ નથી. પરિણામે ધર્મ જેટલો શોવો જોઈએ તેટલો શોભતો નથી. આજ નીતિનિષ્ઠાને અભાવે 'જેવામાં આવે છે કે રોજ પૂજા-પાઠ કરનારા પણ પૈસે મેળવવા અનિષ્ટ અને નિકૃષ્ટ પ્રકારને ધંધો કરતાં અચકાતા નથી. તેઓ વ્રત. અને નીતિને પરસ્પરને મેળ કરતા નથી. . નીતિનિષ્ઠા કાચી રહેવાથી કેવળ ધાર્મિક ક્ષેત્રે જ નહીં, ઓપતું બીજા ક્ષેત્રમાં પણ અસંગત લાગે તેવી વાતો આદરાતી જોઈ શકાય છે. મહાત્મા ગાંધીજીએ વ્રતનિષ્ઠા સાથે નીતિનિષ્ઠા જાતે આદરીનેઆચરી બતાવી હતી. તે તેમની વ્યક્તિગત હોઈને તે વખતની સંસ્થાએની નીતિનિષ્ઠા કાચી દેખાય છે. ગાંધીજી પછી મુખ્યત્વે બે સંસ્થાઓ તેમને માનનારી આવે છે એક સર્વોદય અને બીજી કોંગ્રેસ. નીતિનિષ્ઠાને પાયો મજબૂત ન હોવાથી આ બને. સંસ્થાના નેતાઓ ઘણીવાર. અસંગત અને અણઘડ વાતો કરતાં જણાય છે. એક સર્વોદયી કાર્યકર શ્રી જયપ્રકાશ નારાયણે, “પાકિસ્તાનને પાયાની લોકશાહી બતાવી અને ભારતે પણ એવી લોકશાહી આદરવી જોઈએ " એવું વિધાન કર્યું. એવી જ રીતે “કાશ્મીર અને ચીનને પ્રશ્ન લવાદીથી ઉકેલ " એવું વિધાન પણ કરવામાં આવ્યું. કોઈપણ સમજુ વ્યક્તિ આવાં વિધાન ન કરી શકે અને તે પણ સર્વોદયવાદી. તો નહીં જ! પાકિસ્તાનને લોકશાહી રાજ્ય માનવું એ તો જગજાહેર, - ભૂલ છે. તેવી જ રીતે લવાદ તો ત્યાં નીમી શકાય જ્યાં બે પક્ષ વચ્ચે મતભેદ હોય. પણ આક્રમણકારી કે અન્યાયીને નભતું આપવા માટે. લવાદ નીમવો એ યુક્તિ સંગત નથી. એવો જ દાખલો સર્વસેવાસંઘના મંત્રી શંકરરાવ દેવને છે. નીતિનિષ્ઠા ન હોવાના કારણે તેમણે સંયુકત મહારાષ્ટ્ર સંમિતિમાં ઝં૫ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust