________________ બાધક કારણોને શોધીને હાંકી કાઢવાના ઉપાય શોધવા પડશે. ત્યારેજ વિશ્વ વાત્સલ્યની આચારનિષ્ઠા સ્થાપી શકાશે. - વિશ્વ વાત્સલ્યમાં જગતના બધા ધર્મો, વાદો, વિચારધારાઓ, જ્ઞાતિઓ રાષ્ટ્ર વિ.ને લેવામાં આવ્યા છે. દરેક સાધકને વિચાર સુધી તે ખૂબજ સરસ લાગશે પણ જેવો તે આચારમાં મૂકવા જશે તો તેનાં શરીરથી લઈને, કુટુંબ, જ્ઞાતિ, સમાજ, ધર્મપંથ, સંપ્રદાય, વાદ, રાષ્ટ્ર વગેરેના જુના સંસ્કારના આવરણો આવી તેને ઘેરી વળશે. પણ, જે તેણે એ બધા બાધક કારણોનો અગાઉથી વિચાર કર્યો હશે તો તેને દૂર કરી શકશે અને આચારનિષ્ઠાને સ્થાપી શકશે. હવે ક્યાં ક્યાં બાધક કારણો આચારનિષ્ઠામાં આવીને ઊભાં રહે છે તેને વિગતવાર જોઈએ - (1) સામાજિક પરિસ્થિતિની પ્રતિકૂળતાઃ આચારનિષ્ઠામાં સૌથી પહેલું આ બાધક કારણ છે. વિશ્વ વાત્સલ્યના વિચારોને સાંભળીને સમાજમાં ઉહાપોહ તો થાય છે પણ જ્યાં સુધી એ વિચારો ઉપર અમલ ન થાય ત્યાં સુધી સમાજ દંડ આપવા તૈયાર થતો નથી. ઘણીવાર પ્રતિકૂળ વિચારોને કેવળ વિનોદ માટે સાંભળીએ છીએ. પણ, જ્યારે આચારમાં મૂકવામાં આવે છે ત્યારે જ સમાજની કોપદષ્ટિને સાક્ષાત્કાર થાય છે. ધર્મસંપ્રદાય, જ્ઞાતિ કે સમાજ બહિષ્કાર પણ કરે અને પ્રતિષ્ઠા પણ તોડે. ખોટા આક્ષેપ પણ આવે અને કનડગત થાય. એ આચારને સાધક મૂકી દે તેવી લાચારીભરી પરિસ્થિતિ પણ ઊભી કરવામાં આવે છે. સમાજની કોપદષ્ટિની તીવ્રતા ખાન-પાન બહિષ્કાર સુધી પણ પહોંચી શકે ! આ વખતે સાધકે સમાધાન વૃત્તિથી કામ લેવાનું હોય છે. વિશ્વ વાત્સલ્ય માટે નીકળેલો સાધક પિતાનાજ સમાજ પતિ ત્યારે સમાધાન રાખે. એણે તો રામકૃષ્ણ, બુદ્ધ, મહાવીર કે ગાંધીને આદર્શ સામે રાખવો જોઈએ. જે તે પિતાની આચારનિષ્ઠા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust