________________ બહુ ખિન્ન અને દુઃખી હતી. તે એક દિવસ સ્વામી રામતીર્થ પાસે આવી. ઘૂંટણીએ પડીને નમસ્કાર કર્યા પછી તેણે કહ્યું: “હું આપનું નામ સાંભળીને આવી છું. આપ ઈશુ ખ્રિસ્તની જેમ પરમાનંદ આપનારા છે. એક દુઃખિયારી બાઈ તરીકે હું આપની પાસે એ પરમાનંદનો મંત્ર લેવા આવી છું.” - સ્વામીજીએ તેની બધી વાત સાંભળીને કહ્યું: “હું તને પરમાનંદ આપીશ પણ તારે એનું મૂલ્ય ચૂકવવું પડશે !" તે બાઈ બોલીઃ “પ્રભુ ! આપને જોઈએ તેટલું ધન હું આપીશ પણ મને તે મંત્ર આપે !" સ્વામીજીએ કહ્યું : “મને જડદ્રવ્ય જોઈતું નથી. મને તે આત્માનું ધન (વિધવાત્સલ્ય ) જોઈએ છે. એ આપવા તૈયાર છે !" “શું એનાથી મને પુત્ર મળશે!” તે બાઈએ પૂછયું. ભળશે પણ તે ઔરસ (પિતાને) નહીં હોય ! એ જ તને પરમાનંદ આપનાર બની શકશે ! " સ્વામીજીએ કહ્યું. બાઈ બોલીઃ “આ૫ જે કહે તે હું કરવા તૈયાર છું.” સ્વામીજીએ આશ્રમમાંથી એક સ્વસ્થ અને સુંદર હન્શી બાળક લાવીને બાઈની આગળ મૂકતાં કહ્યું : "o ! આ બાળકને ઉછેરજે ! વાત્સલ્ય રેડજો ! એ તમને પરમાનંદ આપશે !" હચ્છી બાળકને જોઈને તે બાઈ મોઢું મચકોડવા લાગી. “પ્રેમ એ જ પ્રભુ છે!એવા ઈશુવચનને અદ્વૈતવાદના રૂપે તેણે સ્વામી રામતીર્થના મુખે સાંભળ્યું હતું અને તે આનંદી થઈ હતી, તેને ક્ષોભ થવા લાગ્યો. તેણે કહ્યું : “એ મારાથી નહીં બની શકે ! હું ઉચ્ચ જાતિની આ હથ્થી બાળકને કેવી રીતે ઉછેરી શકું !" - આ ઉપરથી સમજી શકાય છે કે જ્યાં સુધી વિચારને આચારમાં મૂકવાની નિષ્ઠા ન કેળવવામાં આવે ત્યાં સુધી ઘણું બાધક તો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust