________________ 116 સુધી આપ મારૂં સમાધાન ન કરે ત્યાં સુધી હું આપને જવાની રજા નહીં આપું.” - આ પંડિતમાં અષ્ટાવક્રના નાના પણ હતા. એક દિવસ અષ્ટાવકે પિતાની મોટી બાને પૂછ્યું: “બા! નાના ક્યાં છે?” તેણે આંસુ સારતાં કહ્યું : “તેમને રાજાએ રાજસભામાં રોકી રાખ્યા છે. જયાંસુધી રાજાની શંકાનું સમાધાન નહીં થાય ત્યાં સુધી તેમને છોડવાના નથી.” આ સાંભળી અષ્ટાવક્રે કહ્યું: “હું તેમને છોડાવી લાવું !" તેને આગ્રહ જોઈને નાનીએ જવાની રજા આપી. અષ્ટાવક્ર નામ પ્રમાણે આઠ અંગોથી વાંકા હતા. તેમનું શરીર બેડોળ અને કદરૂપું લાગતું હતું. તેઓ સીધા જનકરાજાની સભામાં પહોંચી ગયા. વિદ્વાન પંડિતો બેઠા હતા. અષ્ટાવક્રને જોઈને તેઓ હસી પડ્યા. અષ્ટાવક્ર પણ તેમને જોઈને હસવા લાગ્યા. આ જોઈને રાજા જનકને આશ્ચર્ય થયું. તેમણે પૂછયું: “વિપ્રવર ! આપ નાના હો, વળી આઠ અંગે વાંકા છે એટલે અમારા પંડિતે હસ્યા, તે તે હું જાણી શકો! પણ, આપ શા કારણે હસ્યા તે મને સમજાતું નથી!” મને તેનું રહસ્ય કહો !" અષ્ટ્રાવકે કહ્યું : “મને તો થતું હતું કે જનક રાજાની સભામાં બધા બ્રહ્મજ્ઞાનીઓ હશે પણ અહીં તો ચમારોની સભા હેય એવું લાગે છે!” - જનક રાજાએ કહ્યું “મહારાજ ! બ્રાહ્મણોને–પંડિતોને આપ ચમાર કઈ રીતે કહે છે ?" અષ્ટાવક્રે કહ્યું: “બ્રહ્મજ્ઞાનીઓ હતી તે મારા બ્રહ્મને જુવે પણ અહીં તો તેઓ શરીરમાં ચામડાં વગેરે ને જોઈ રહ્યાં છે અને હસે છે. એટલે મને હસવું આવ્યું.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust