SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ 114 - ત્યારે તે ચાંડાળ કહે છે - अन्नादनभवमथवा चैतन्यमेव चैतन्यत् / * હૂિકવર! સૂરતું ઘાસ, િદ જ છે જાતિ | " હે બ્રાહ્મણવર ! આપ કોને દૂર ખસવાનું કહે છે ! આ શરીરને કે ચેતન્યને ! જે શરીરને દૂર ખસવાનું કહે છે તે જેવું મારું આ શરીર પંચભૌતિક છે તેવું જ આપનું છે. એમાં કોઈ અંતર નથી તે એને ખસવાની જરૂર નથી. જે આત્માને દૂર ખસવાનું કહો છો તે આત્મા આપના અદૈતવાદ પ્રમાણે આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. તે તે આઘે ખસીને જશે કયાં ? આ સાંભળીને શંકરાચાર્યને આનંદ થાય છે કે મારે અદ્વૈતવાદ ચાંડાળ પણ સમજી શકે છે સાથે જ તેને આચરણમાં મૂકવાના સંસ્કાર પિતાનામાં પ્રગટ થયાં નથી એ જાણીને ખેદ થાય છે. તેઓ ભૂલ કબૂલ કરતાં કહે છે : “ભાઈ! આજ સુધી તે હું અદૈતવાદને વિચાર કરતે હતો પણ આચરણમાં મૂકવાને ખરે સમય આવ્યો ત્યારે હું સિદ્ધાંતથી ડો. મારી ભૂલ તે બતાવી એટલે તું મારા ગુરુ ! " એવી જ રીતે વૈષ્ણવ સંપ્રદાયના સંસ્થાપક રામાનુજાચાર્યને પણ દાખલો છે. તેઓ એકવાર પોતાના શિષ્યો સાથે ફરવા જતા હતા.' * સામેથી એક અત્યજ સ્ત્રી આવતી હતી. ( શિષ્યોએ મોટા સાદે તેને દૂર ખસી જવાનું કહ્યું. ત્યારે તે બાઈની આંખમાં ચમકારો આવ્યો અને તે બોલી : “આ આખી ભૂમિ ભગવાનના ચરણેથી મપાએલી છે. આ આખું વિશ્વ પ્રભુનું મંદિર છે. માટે હે વિદ્વાન પુરૂષ ! હું કયાં ને કેવી રીતે ખસી જાઉં ?" રામાનુજાચાર્યે તે સાંભળ્યું ને તેમને પશ્ચાત્તાપ થયો. તેમણે કહ્યું : “બહેન ! હું તો સંન્યાસી છું. છતાં મારામાં છેટું અભિમાન ભરેલું છે. આ વૈષ્ણવ ચિહ્નો મારા શરીર કરતાં તારા શરીર ઉપર વધારે શોભા આપી શકે એવાં અને યોગ્ય છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy