________________ 12 પછીના કાર્યનું સંકલન રહે, એ માટે (1) અનુબંધ વિચારધારા પ્રચાર સમિતિ (2) સાધુસાધ્વી સંપર્ક સમિતિ અને (3) તપ, સાધન વ. અંગની એક ફાળા સમિતિ પણ વિધવાત્સલ્ય પ્રાયોગિક સંધ તળે રચાયેલ છે. જ્યાં લગી “વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ” દેશભરમાં વ્યવસ્થિત રૂપે ન ઊભો થાય ત્યાં લગી દેશદેશાંતરના શુદ્ધિ ઉપરાંત શાંતિસેનાની કામગીરી પણ વ્યકિતગત ક્રાંતિપ્રિય સાધુસાધ્વીઓની પ્રેરણા નીચે ગ્રામ પ્રાયોગિક સંઘો તથા વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સોની શાખાઓ એ જ બજાવવાની રહેશે. એ દષ્ટિએ ધર્મદષ્ટિએ સમાજરચના પછીનું સાધુસાધ્વી શિબિરનું દશેક પુસ્તમાં પ્રગટના આ સાહિત્ય ભવિષ્યના સમાજ પ્રેરક ચારિત્ર્ય ઘડતરમાં પિતાનું આગવું અને અજોડ સ્થાન લેશે એવી સંભાવનાને કારણે મને આશા જ નહીં; બલકે ખાતરી છે કે આ પુસ્તકનો લાભ વાચકો પૂરેપૂરે લેશે અને અનુબંધ વિચારધારાના સક્રિય અંગ બની પોતપોતાની કક્ષા અને પરિસ્થિતિ મુજબ ધર્મદષ્ટિએ સમાજરચના કરવાને લહાવો લૂંટશે. ચીખલી, તા. 6-4-62 સંતબાલ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust