________________ - - શકે! આવું રાજ્ય ધર્મદ્રષ્ટિએ ચાલતું હોવું જોઈએ. એવાં બધાં રાષ્ટ્રો છે? તેના જવાબમાં એકમાત્ર ભારત દેશજ' આવીને ઊભા રહે છે. અહીં હજારો વર્ષોથી ધર્મ અને નીતિને નજર આગળ રાખીને રાજ્ય કરવામાં આવ્યું છે. અહીં રાજ્યધુરાં હાથમાં લેવી એટલે ધર્મપ્રવર્તન કરવું એમ આદિ તીર્થકર ભગવાન ઋષભદેવે કરી બતાવ્યું છે. જો કે આમાં ભરતી અને ઓટ આવ્યા છે પણ એકંદરે ભારતના રાજા ધર્મ અને ન્યાયની દૃષ્ટિએ રાજ્ય કરવાનું વધારે પસંદ કરતા એની એક ભવ્ય તવારીખે પણ છે. ' . ' . ' , : " આ ભારત રાજ્યમાં જે બે ગ્રંથને અહીંની સંસ્કૃતિ ઉપર પ્રભાવ પડ્યો છે તે છે રામાયણ અને મહાભારત. એ બને મહાકાવ્ય ધર્મગ્રંથ ગણાય છે. તેમાં ઠેર ઠેર આદર્શ રાજ્ય કોને કહેવાય તેને ઉલ્લેખ મળી આવે છે. ' રાજાઓના ધર્મને ઉલ્લેખ કરતાં કહેવામાં આવ્યું છે - दुष्टस्य दण्डः, सुजनस्य पूजा, न्यायेन कोषस्य च संभवृद्धिः। अपक्षपातो निजराष्ट्रचिंता, पंचाऽपि धर्मा नृपपुंगवानाम આ દુષ્ટોને દંડ, સજજનની પૂજા, ન્યાયની રીતે કોષવૃદ્ધિ, નિષ્પક્ષપાતતા, પિતાના રાષ્ટ્રની ચિંતા-(સામાજિક મૂલ્યોનું રક્ષણ), એ પાંચ ધર્મો રાજાના છે. એટલે અહીં જે રાજ્ય શાસન ચાલ્યાં છે-તે . રાષ્ટ્રધર્મની દષ્ટિએજ ચાલ્યાં છે. એ દૃષ્ટિએ રાજકીય ક્ષેત્રના એકમ તરીકે ભારત રાષ્ટ્રને લઈ શકાય છે. એ રાષ્ટ્રના માધ્યમથી બીજા રાષ્ટ્ર તરફ વિશ્વાત્સલ્ય વહેવડાવી શકાય.. . . . . . . “તૂર-આરતે ' . . આપણું ઋષિ મુનિઓએ ભારતમાં જન્મ લેવો ખરેખર દુર્લભ છે–એમ કહ્યું છે તે સાચું જ છે. અહીં પ્રકૃતિની અનુકૂળતાઓ પુષ્કળ છે; ભૌગોલિક વિવિધતાઓ પણ અનુકૂળ છે; તેમજ અહીં સમૃદ્ધિની વિપૂલતા પણ છે. આ બધા કારણોએ. અહીંની પ્રજામાં-આર્યોમાં ઉદારતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust