________________ શ્રેણીની પાસે પ્રાર્થના કરી તેને ઘેર રહ્યો અને તેના દુકાને રહીને નિરંતર સર્વ કામ કરવા લાગ્યા. ત્યાં પણ તે અધમ પુરૂષે દુષ્ટ વ્યસનનો ત્યાગ કર્યો નહીં, તેથી શ્રેણીની દુકાનમાંથી દ્રવ્ય ચોરીને પોતે ગુપ્તપણે એકઠું કરવા લાગ્યું. કેઈના જાણવામાં ન આવે તેમ તે ભિલ્લની જેમ ચેરી કરી પાપના સમૂહમાં પ્રીતિવાળે થયો. “મનુષ્ય પોતાને સ્વભાવ તજી શકતા નથી.” કેટલેક કાળે શ્રેષ્ઠીએ તેનો ચેરીનો વૃત્તાંત જાણ્ય, ત્યારે તેને પિતાની દુકાનમાંથી કાઢી મૂક્યો. “ધૂર્ત અને દુષ્ટ માણસનો કે વિશ્વાસ કરી શકે?” પછી ગભરાયેલે તે ત્યાંથી નાસીને આજીવિકા માટે ભટકવા લાગ્યા. તેવામાં મહેશ્વરદત્ત નામના શ્રેષ્ઠીએ તેને ચાકર તરીકે રાખે. એક દિવસ લોભથી ખેંચાયેલો હોવાથી ઉતાવળે દ્રવ્ય મેળવવાની ઈચ્છાવાળે તે ભીમસેન તે શ્રેષ્ઠીની સાથે વહાણમાં ચડીને સમુદ્રમા ચાલ્યો. વેગથી ચાલતું તે વહાણ કેટલેક માર્ગ ઉલ્લંઘન કરી કેઈક ઠેકાણે રાત્રિને સમયે પ્રવાલના અંકુરાના અગ્રભાગ અથડાવાથી ખલના પામ્યું (અટકયું), તેને ચલાવવા માટે ખલાસીઓએ વારંવાર ઘણે યત્ન કર્યો તો પણ તે વહાણ પ્રવાલના વેલાઓથી વીંટાઈને તેમનું તેમજ રહ્યું (સ્થિર રહ્યું). આ રીતે તે જ ઠેકાણે કેટલેક કાળ ગયે ત્યારે તે શ્રેષ્ઠીનું જળ તથા અન્ન ખૂટી ગયું, તેથી પીડા પામેલો તે પ્રાણ ત્યાગ કરવા તૈયાર થયા. તે વખતે પ્રથમ અરિહંતાદિક ચાર શરણને ઉચ્ચરી, અઢાર પામસ્થાનનો ત્યાગ કરી, અનુકમે સર્વ જીવોને ત્રિવિધે ત્રિવિધ ખમાવી, મિથ્યાદુષ્કૃત આપી, નવકાર મહામંત્રનું સ્મરણ કરતો તે શ્રેષ્ઠી જેટલામાં જળમાં ઝંપાપાત કરે છે તેટલામાં કેસુડાના પુષ્પ જેવી ચાંચવાળ, તમાલપત્રની જેવા વર્ણવાળે કઈક પિપેટ શીધ્રપણે ત્યાં આવી મનુષ્યવાણવડે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust