________________ ( 11 ) નમ્ર થઈ ગુરૂના ચરણકમળમાં પ્રણામ કર્યા. કપટના એક નિધાનરૂપ તે જટિલે શિષ્યને પૂછયું કે-“હે વત્સ ! તું હમણું કયાંથી આવે છે ? તે કહે.” જાંગલ બોલ્યા કે–“હે સ્વામી ! હું સૈારાષ્ટ્ર દેશમાં ગયા હતા. ત્યાં શત્રુંજય તીર્થ અને ઉજજયંત (ગિરનાર) ગિરિ ઉપર શ્રી જિનેશ્વરની દિવ્ય કાંતિવાળી પ્રતિમાઓને ચ દનાદિકવડે પૂજીને હું અહીં આપના દર્શન કરવા આવ્યો છું. મારી જેવો કેઈ સામાન્ય પુરૂષ એ બને તીર્થનો પ્રભાવ કહેવા સમર્થ નથી. આપની પાસે હું શું કહું ? તે બને તીર્થને પરિપૂર્ણ મહિમા જાણવાને કઈ પણ મનુષ્ય સમર્થ નથી. માત્ર ત્રણ લેકની સ્થિતિને જાણનાર એક કેવળી જ તે જાણું શકે છે. તે તીર્થની સેવા કરવાથી પ્રાણીઓને આ ભવ અને પરભવ સંબંધી સુખ પ્રાપ્ત થાય છે, તેમાં પ્રથમ હું ઉજજયંત ગિરિનો પ્રભાવ કાંઈક કહું છું કે જેના આરાધનમાત્ર કરીને જ પ્રાણુ અશોકચંદ્રની જેમ નિર્મળ કીર્તિ, કાંતિ અને કળાને તથા પરભવે સ્વર્ગની સંપદાને પણ પામે છે. તે આ પ્રમાણે– ચંપા નગરીને વિષે અશોકચંદ્ર નામે એક નિધન ક્ષત્રિય હતો. તે પરોપકાર કરવામાં તત્પર અને ઘરનું કાર્ય કરવામાં વિરક્ત હતો. એકદા ખેદ પામેલો તે ચોતરફ ફરતો હતા, તેવામાં તેણે દયાળુ એવા જૈન મુનિઓને જોયા. તેમને વિનયથી નમસ્કાર કરી તેણે પૂછયું કે–“હે મુનીશ્વરે ! હું ઘણા દુર્ભાગ્યથી પીડા પામેલ છું, તેથી તેના નિવારણને જે કાંઈ ઉપાય આપ જાણતા હો તો કૃપા કરીને મને જલદી કહે.” ત્યારે તે તપસ્વીઓ બેલ્યા કે–“હે વત્સ! સાંભળ. આ પ્રમાદી જીવ કર્મના બળથી નિર્બળ થઈને આ સંસારસાગરમાં ભમે છે. તે કર્મને અન્યથા કરવા કઈ પણ મનુખ્ય સમર્થ નથી, તે કર્મ સંકલ્પવિકલ્પથી આત્માને અત્યંત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust