SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ( 8 ) હે તપસ્વિમાં શિરોમણિ ! આ જગતમાં જે મનુષ્ય અત્યંત દુ:ખથી પીડા પામે છે અને સૌભાગ્ય તથા ભાગ્યથી રહિત છે, તે બધાઓમાં હું પહેલે છું એમ તમે મને જાણજે. જે જે કાર્યને માટે હું જ્યાં જ્યાં જાઉં છું ત્યાં ત્યાં તે તે કાર્ય સિદ્ધ થતુ નથી. હું તૃષાથી પીડા પાપે હોઉં તો સમુદ્ર પણ મને પાણી આપતો નથી. જ્યારે અતિ નિભાંગી હું જાઉં છું ત્યારે વૃક્ષનાં ફળે, નદીઓનાં પાણી અને રેહણાચળ પર્વતનાં રને અદ્રશ્ય થઈ જાય છે. મારે ભાઈ નથી, પિતા નથી, સ્ત્રી નથી અને કોઈ પણ પરિવાર નથી, તો પણ હું મારું એક ઉદર ભરવાને પણ શકિતમાન નથી. શું કહું ?" આ પ્રમાણે તેનું દીન વચન સાંભળીને તે માયાવી અધમ તાપસ પ્રેમથી અમૃતની જેવું વચન બોલ્યો કે–“હે ભદ્ર ! તું ખેદ ન કર. તારા પરાજયને તું ભૂલી જા. મને જેવાથી તારૂં સર્વ દુઃખ નાશ જ પામ્યું છે એમ તું જાણું. હું નિરંતર બીજાના ઉપકારને માટે જ ફરું છું. આ જગતમાં મારે કાંઈ પણ સ્વાર્થ નથી. શામાટે તું ગભરાય છે? કારણ કે આ વિશ્વમાં મેઘ વૃષ્ટિ કરે છે, સૂર્ય હમેશાં આકાશને પ્રોત કરે છે, ચંદ્ર શીતળતાને આપે છે, વૃક્ષે ફળ આપે છે, ચંદન વૃક્ષો ઉગે છે, સર્વ નદીઓ પાણીને વહે છે અને વાયુ વાય છે, એ જેમ પરોપકાર માટે જ કરે છે તે જ પ્રમાણે તુષ્ટિ કરનારા સત્પરૂ પણ બીજાના ઉપકારને માટે જ ફરે છે. આ સર્વ સંપુરૂષનું જ લક્ષણ છે. તું મારી સાથે ચાલ. સિંહલદીપની ખાણમાં ઉત્પન્ન થયેલાં ઘણાં રને તને આપીશ.” આ પ્રમાણે ત્રિદંડીનું વચન સાંભળીને તે તેની સાથે ચાલ્ય, કેમકે ઋષિ-મુનિને વેષ પ્રાણીઓને તત્કાળ વિશ્વાસ ઉત્પન્ન કરે છે. એ મુદ્રાના ખર્ચ વડે ઉત્તમ ભાતું લઈને તે બને હર્ષથી કેટલેક દિવસે રત્નની ખાણે પહોંચ્યા. ત્યાં કૃષ્ણપક્ષની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036421
Book TitleBhimsen Nrup Katha Tatha Kandu Raja Katha
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1933
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy