________________ ભીમસેન ચરિત્ર અને કહ્યું : “મંત્રીઓ ! ઘણુ સમય સુધી મેં આ રાજકાજની પ્રવૃત્તિ કરી. તે માટે મેં ઘણાં બધાં પાપ બાંધ્યાં. હવે મારી ઉંમર થઈ છે. ભીમસેન પણ ઉંમરલાયક થયો છે. મેં ઘણું વિચાર ને મનોમંથન બાદ નિર્ણય કર્યો છે કે, હું આ માનવભવ હારી જઉં તે કરતાં બાકીનું જે કંઈ આયુષ્ય મારી પાસે બચ્યું છે તેનો અપ્રમાદપણે ઉપયોગ કરી લઉં. આ માટે મેં સંસાર છોડી દીક્ષા અંગીકાર કરવાનો નિર્ણય લીધો છે. જેથી મારા આ લેક_નેપરલેક-પણ સુધરી જાય. આ વિચાર સુમંત્ર મંત્રીને ન ગમે. તેમાં તેને રાજાનું અજ્ઞાન દેખાયું. આથી તે પોતાનું જ્ઞાન બતાવતા બોલ્યા : રાજશિમણું ! તમારા આ વિચારે મને આકાશ કુસુમ જેવા લાગે છે. કારણ જ્યાં જગતમાં જીવ તત્વ જેવું કંઈ છે જ નહિ, પછી પરલોકની તો વાત જ શેની કરવાની ? જ્યાં મૂળ જ નથી ત્યાં શાખા હોય જ શી રીતે ? જન્મ પહેલાં કે મરણ બાદ જીવનું સ્વરૂપે જોવામાં આવતું નથી. એ જીવ ક્યારે ને કેવી રીતે આ દેહમાં પ્રવેશ કરે છે તેમજ કયારે ને કેવી રીતે અને કયાં આ ળિયુ છેડીને ચાલ્યો જાય છે તે આજ સુધી કોઈએ પ્રત્યક્ષ જોયુ નથી. આથી દેહથી અલગ એવો આત્મા છે જ નહિ આત્મા તે પૃથ્વી, અગ્નિ, જલ અને વાયુના સંસર્ગથી પ્રગટ થાય છે. માટે હે રાજન! તમે દેખીતા સુખને ત્યાગ કરીને ન દેખાતાં સુખ માટે વૃથા પ્રયત્ન ન કરે. બુદ્ધિમાન પુરૂષ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust