SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ પાપ આડે આવ્યાં રટલે ન છીનવી લેવા ઘણું સમજાવ્યું. પરંતુ પ્રીતિમતિએ કામજિતનો એક પણ શબ્દ કાને ન ધર્યો. તેણે પોતાને જ કક્કો ખરો કર્યો. અને તેણે એ સ્ત્રી તેમજ તેના પતિ બનેને તિરસ્કાર કરી કાઢી મૂક્યા. કામજિતને પત્નીના આ પગલાથી ઘણું જ દુઃખ થયું. પણ સ્ત્રીમાં તે એટલો બધો આસકત હતું, કે તેનાથી ઉપર વટ જઈ એ કશું જ ન કરી શકશે. - હવે એક દિવસ કામજિતના રાજમહેલમાં એક તપસ્વી ભીક્ષા માટે આવ્યા. આ તપસ્વીએ તપથી પોતાની કાયા ગાળી નાંખી હતી. દેહની મમતાનો નાશ કર્યો હતો. જેને દેહની મમતા ન હોય તેને દેહ ઢાંકવાના કપડાને તો મોહ જ કયાંથી હોય ? આથી આ તપસ્વીએ જીણુ અને મલિન એવાં કપડાં પહેર્યા હતાં. કામજિત આ તપસ્વીને જોઈ ક્રોધે ભરાયો. આ ભિખારી માર મહેલમાં કયાંથી ઘૂસી ગયે? એમ વિચાર કરી એ તુરત જ તપસ્વી પાસે આવ્યો. તેને તિરસ્કાર કર્યો. કડવાં વેણ કહ્યાં. અને ધકકા મારી તેને બહાર ધકેલી કાઢશે. એ પછીના થોડા દિવસ બાદ કામજિત નગરમાં હાથી ઉપર બેસીને ગ્રામચર્ચા કરી રહ્યો હતો. ત્યાં તેણે એક શ્રાવકને સુપાત્રદાન દેતા જે. એ જોઈએ બોલી ઊઠો: “છિ ! આમ તે કંઈ ભીખ દેવાતી હશે? આવા દાન કરવાથી શું વળે ?" , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036419
Book TitleBhimsen Charitra Gujarati
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1980
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size230 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy