________________ ભીમસેન ચરિત્ર શું કોઈ દુષ્ટ દેવનું એ કાવત્રુ હશે ? કંઈક પ્રશ્નો વિચારી જોયા. કશાયથી સમાધાન ન થયું. બીજે દિવસે ફરી ચોકસાઈથી કહીશ ચડાવવામાં આવ્યા. એ આખી રાત ભીમસેને કળશ સામું જોઈને કાઢી. મટકુ માર્યા વિના એ રાત તેણે પસાર કરી. 'પણ આશ્ચર્ય ! સવારે શિખર ઉપર કળશ ન હતો. ભીમસેન ઊંડા વિચારમાં પડી ગયે. શિલ્પીએ અને જ્યોતિષ વિશારદો પણ મુંઝવણ અનુભવવા લાગ્યા. આમ કેમ બનતું હશે તેનો કોઈ ઉકેલ કાઢી શકતું ન હતું. એ ઉકેલ કાઢવો અનિવાર્ય હતો. કળશ ચડયા વિના મદિર અધૂરું જ ગણાય. તે કામ પડતું મૂકવું એ પાલવે તેમ ન હતું. ભીમસેનની ચિંતા વધી ગઈ. વિજયસેન પણ ચિંતા કરવા લાગ્યા. બંનેએ રાજ હુકમ કાઢ. આ કળશ નહિ ચડવાનું જે કઈ કારણ શોધી આપશે અને તે કારણે દૂર કરી કળશ ચડાવી આપશે તેને રાજ તરફથી મોં માંગ્યું ઈનામ આપવામાં આવશે. દિવસે સુધી તેનું કઈ જ કારણ ન જડ્યું. એક સવારે ભીમસેનને કોઈએ ખબર આપ્યા કે વિદેશનો કોઈ મહા નૈમિત્તિક આપને મળવા માંગે છે. નૈમિત્તિક ભીમસેનને મળ્યો. તેણે જણાવ્યું કે જે દિવસે એ જિનમંદિરના પ્રવેશદ્વારમાં શુદ્ધ શીલવતી નાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust