________________ મહાસતી સુશીલા દોરડાથી બાંધેલા હતા. અને તેમની શેઠાઈ છીનવી લીધી હતી. ઘણા સમય સુધી બંદીવાસમાં રહેવાથી બંનેનાં નર તેજ ઊડી ગયાં હતાં. શેઠ-શેઠાણીને જોતાં જ વિજયસેને તેઓને પૂછ્યું : તમે તમારો અપરાધ કબૂલ કરે છે ને ? ભીમસેન અને સુશીલા તેમજ તેમનાં બાળકોને વિના અપરાધ હેરાન કરવા માટે અને રાણે સુશીલા ઉપર ખોટો આક્ષેપ મૂકવા માટે તમને કેદ કરવામાં આવ્યા છે. તમારે આ અંગે કંઈ કહેવું છે?” - “રાજન ! અમારો અપરાધ ક્ષમા કરો. અમારા એ કૃત્ય માટે અમે ખૂબ જ શરમ અનુભવીએ છીએ.” લક્ષ્મીપતિ શેઠે દીન મુખે કહ્યું. નહિ, તમે ક્ષમાના જરાય અધિકારી નથી. તમે તે માનવતાને ન શોભે એવું કામ કર્યું છે. આપણા નગરને તમે કલંકિત કર્યું છે. તમે તમારા આત્માને પણ ડાઘ લગાડયો છે. માનવ સાથેના માનવના એગ્ય વ્યવહારને તમે ! ચૂકી ગયા છે. તમારા અપરાધ અક્ષમ્ય છે. રાજ્ય તમને ક્ષમા કરી શકે તેમ નથી. આ માટે તમને મૃત્યુ દંડની શિક્ષા કરવામાં આવે છે. વિજયસેને હુકમ સંભળાવ્યું. શેઠ અને શેઠાણી મૃત્યુના ભયથી થરથરી ગયા. ત્યાં હાજર રહેલે ભીમસેન પણ થથરી ગયે. તે બોલ્યો : વિજયસેન ! આ અંગે મને કંઈક કહેવા દેશો ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust