________________ વિધાતા ! આમ કયાં સુધી ? 21. અરે ! ભગવાન ! આ તે મારી કેવી જિંદગી છે? સુખનો શ્વાસ હજી તો મેં માંડ લીધે હતો, ત્યાં એ દૈવ! તે આ દુઃખનો દીર્ઘ નિઃશ્વાસ મને કયાં આપે ?" * કેવા ઉમંગ અને ઉલ્લાસથી હું . સ્નાન કરી રહ્યો હતો ! કેટકેટલા અરમાનથી હું મારા હિંયાને ભરી રહ્યો હેતે ! સુશીલાની સ્મૃતિમાં હું કુતિ અનુભવી રહ્યો હતો ! ઘણા સમયે પત્ની અને પુત્રોનું મિલન થશે. હાથમાં હવે દ્રવ્ય હોવાથી ગરીબાઈ અને ભૂખમરાનો અંત આવશે. સુખને રોજ રોટલે હશે. શાંતિની રજ નિંદર હશે. બાળકો પણ લાડ પ્યાર ને સુખ સગવડમાં ઉછરશે. - કેટલું રમ્ય સ્વપ્ન હ નીહાળી રહ્યો હતો ! પણ હાય ! મારા ભાગ્યને કંઈ જુદુ જ મંજૂર છે. હું સુખી થવાના પ્રયત્ન કરું છું. એ મને દુઃખ જ આપે છે. છે અને હું પણ કેવો મૂર્ખ ! કંથા મૂકીને સ્નાન કરવા. ગયે. એમ ન કર્યું હેત તો આજ આ દશા ન આવત ને ! આ કિનારે લાંગરેલું નાવ ફરી પાછું ડૂબી ન જાત ને ? પણ ના, સ્નાન તે નિમિત્ત જ છે. મારું ભાગ્યે જ અવળું છે. મારા પૂર્વભવનાં અશુભ કર્મોનો ઉદય આજ સોળે કળાએ ખીલી ઊઠે છે. એ કર્મો જ પરિપાક આજ હું લણી રહ્યો છું. ' પણ આમ કયાં સુધી દુખોની ઝડી વરસતી રહેશે? 'કયાં સુધી ભાગ્ય મને છેતરતું રહેશે ! - હવે તો આ યાતનાઓ નથી સહન થતી. સુશીલાનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust