________________ ભીમસેન ચરિત્ર આ સ્વપ્ન આપે ત્યારે જોયું ?" ત્રિના છેલ્લા પ્રહરે... કેમ એમ પૂછવું પડ્યું ? શું સ્વપ્ન અને સમયને કંઈ સંબંધ છે?” પ્રિયદર્શનને સ્વપ્નના સમય સંબંધની ખાસ ખબર ન હતી તેથી પૂછયું. હા, દેવી! સ્વપ્નને સમય સાથે ઘણે જ સંબંધ. રહેલો છે. એક તો આપે ઘણું જ શુભ અને મંગળ સ્વપ્ન જોયું છે. તેમાં વળી તે રાત્રિના છેલ્લા પ્રહરે જોયું છે તે ઘણું જ સુચક છે...” ગુણને કીધું. હે સ્વામિન્ ! આ શુભ સ્વપ્નનું મને શું ફળ. મળશે, તે મને જણાવશે તો ઉપકાર થશે.” સુલોચને ! આ સવપ્ન એમ નિર્દેશ કરે છે કે આપને ટૂંક સમયમાં જ પુત્રરત્નની પ્રાપ્તિ થશે.” પ્રિયદર્શના તો એ સાંભળીને આનંદ વિભેર બની ગઈ અને કઈ સ્ત્રી એ વાતથી આનંદ ન પામે ? સ્ત્રીજન્મની સાર્થકતા તે જનેતા થવામાં છે. સંતાન વિનાની સ્ત્રીનું કઈ શુકન પણ નથી કરતું. આ સ્વપ્નથી પિતાને પુત્ર થશે તે જાણી પ્રિયદર્શનાનું હૈયું નાચી ઊઠયુ તેણે તરત જ પિતાના પાલવના છેડાને ગાંડ બાંધી. અને શુકનગ્રંથી કરી. અને ઉમળકાથી બોલી : તો તો આપના મેમાં સાકર. આપનું વચન સત્ય. થાઓ. ત્યારબાદ રાણે ફરીથી ગુણસેનને પગે લાગી. સ્વામીની. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust