________________ 170 ભીમસેન ચરિ વિધિની વક્રતા અને વિચિત્રતાને વિચાર કરતો કરતો, પિતાના પૂર્વભવના પાપને નીદતો અને હવે શું થશે ? શું કરીશ ? એવી ચિંતામાં શેકાતો, ભાંગેલા હૈયે અને પગે ભીમસેન ધનસારને ત્યાં આવ્યું. કેમ ભાઈ! શું થયું ? હવે તો તારાં દુઃખ દર્દ દૂર થઈ ગયાં ને ?" ધનસારે પૂછયું. શેઠ ! નસીબ મારાં ઘણાં વાંકા છે. હું જ્યાં જ્યાં સુખની આશાએ દોડું છું ને ત્યાં જઈ ઊભો રહું છું, ત્યાં ત્યાં નસીબ બે ડગલાં આગળ આવીને ઊભું જ રહી જાય છે. જિતશત્રુએ પણ મને ના પાડી. હવે હું મારા બાળકો અને પત્નીને મારું માં કેવી રીતે બતાવીશ? એ બિચારાએ ત્યાં કેવી રીતે જીવતાં હશે? ભીમસેને કકળતા હૈયે કીધું. અને પછી ઉમેર્યું : શેઠ! હવે તો બસ મારે અહીંથી તરત ચાલ્યા જ જવું જોઈએ. જ્યાં હવે કઈ આશા નથી, ત્યાં રહીને વૃથા સમય શા માટે વ્યતિત કરે ? માટે દયાળુ ! તમે મારા શસ્ત્રો મને પાછાં આપો. હું હવે અહીંથી ચાલ્યા જ જઈશ.’ “શેનાં શસ્ત્રો ને શી વાત? ધનસારે પાઘડી ફેરવી. તેના મનમાં શેતાન વચો. તેણે ભીમસેનની લાચારીનો લાભ ઉઠાવવા માંડયો. ભીમસેનને કોઈપણ રીતે જૂઠો પાડી શકાય તે જ તેને આપવાના પગારમાંથી બચી શકાય. અને એટલું ધન બચી શકે. આમ ધનના પાપે તેણે ભીમસેનને આંખ ફેરવીને વાત કરી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust