________________ પ્રથમ ગ્રાસે 161 સુંદર ગણાતા એવા હંસો પાણી ઉપર માત્ર શેવાળ ખાઈને જ જીવન જીવે છે. * દેવની આ વિચિત્ર લીલા ખરેખર ખેદ ઉપજાવે તેવી છે. વ્યવહાર, ન્યાય અને નીતિના જાણકાર લોકો આમતેમ અનેક પ્રકારના વ્યાપાર ભલે કરે, પરંતુ તેનું ફળ કેટલું મળશે, એ તો એક દેવ જ કહી શકે ! સમુદ્રનું મંથન સર્વ દેવોએ ભેગા થઈને કર્યું. તેમાંથી રત્નો, હીરા, મોતી વગેરે સામાન્ય દેવ લઈ ગયા. વિષ્ણુદેવ તો અનેક મનોવાંછિત ભેગ આપનાર લક્ષ્મીને જ લઈ ગયા ! જ્યારે શ્રીમાન હરહર મહાદેવને હાથમાં તો ભયંકર અને હળાહળ ઝેર જ આવ્યું ! ! આથી પંડિતો કહે છે : દૈવ જ માણસોને શુભ અથવા અશુભ ફળ આપે છે. જેમ હજારે ગાયોનો સમુહ ઊભો હોય, છતાંય વાછરડું તો એ સમુહમાંથી તેની માની પાસે જ પહોંચી જવાનું. તેમ ગમે તે ભવમાં બાંધેલા કર્મો પણ તેના કર્તાને શોધી જ કાઢે છે. અને શુભાશુભ ફળ આપે છે. પ્રેરણું નહિ કરાયા છતાં પણ વૃક્ષ ચોગ્ય સમયે ફળ અને કુલ આપે છે. પરંતુ કાળના કમ તે ઉલ્લંઘતા નથી, તેમ પૂર્વકાલિન કર્મ પણ કાળના કમને ઉલ્લંઘતા નથી. આથી દુઃખના સમયે રડવું છું અને હર્ષના સમયે હસવું શું ? કારણ ભવિતવ્યતા પ્રમાણે જ પરિણામે પ્રગટ ભી.-૧૧ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust