________________ 148 - ભીમસેન ચરિત્ર આ સાંભળીને ભીમસેન વિચારવા લાગ્યું: “સાચી વાત છે. કંજુસ માણસો આવા જ હોય છે. ચમડી તોડે પણ દમડી ન છોડે. લોઢાના ચણા ચાવવા, નાગના માથેથી મણિ ઉતારી લેવો, સુતેલા સિંહને છંછેડવો, એક હાથમાં પર્વત ઊંચકવો, તીક્ષણ અસિધારાને સ્પર્શ કરવો, આ બધું જ અશકય છે. છતાં તે પણ કદાચિત બનવાનો સંભવ ખરે. પણ કંજુસ માણસ પાસેથી ધનની આશા રાખવી સદા, સર્વથા અશકય જ છે. અને એવા કૃપણ માણસ નપુંસક જેવા હોય છે. જે ધનને ભેગવી પણ નથી શકતા અને બીજાને દાન પણ કરી નથી શકતા. ખરેખર વિદ્વાનોએ સાચું કહ્યું ને કે, ધન ટૌભવ વગરના માણસે અગ્નિમાં પ્રાણોની આહુતિ આપવી શ્રેષ્ઠ છે, પરંતુ દયાહીન કંજુસ માણસને પ્રાર્થના કરવી તે જરાય સારી નથી.” આમ વિચારમાં મૂઢ બનીને દીન વદને શેઠની દુકાનેથી ભીમસેન પાછો ફર્યો. અને રસ્તા ઉપર ચિંતાથી ચાલવા લાગ્યા. જ તેના મનમાં હજાર હજાર પ્રશ્ન ઊઠતા હતા : “હવે કયાં જવું? શું કરવું? બાળકને શું ભેજન આપવું? કયાં રહેવું? કેને દુઃખની વાત કરવી ? કે મારા ઉપર ઉપકાર કરે? ન જાણે આ દુઃખને ક્યારે અંત આવશે?” - આ ચિંતાના ભારમાં જ તે એક સ્થળે જઈને માથે હાથ દઈને બેસી ગયે. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust