SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ - કાશીવાશ અને સનંદન વગેરેની સાથે મેળાપ. * 31 શાથી કે અતિમાં કહેલ છે જે " સફેસવોનામકૃતિ " " તેણે પચીલેચના કરી અને પ્રાણનું સૃજન કર્યું " એ ધારાએ પ્રતિપન્ન થાય છે કે ઈશ્વરે આલોચના પૂર્વક સૃષ્ટિ કરી છે, એથી તેજગતનું નિમિત કારણ અથવા કર્તા છે. તમે વિચારે કે, કુંભકાર જેમ પ્રથમ ઘટની કલ્પના કરે છે, અને ત્યાર પછી ઘટ નિર્માણ કરે છે. ઈશ્વરે તે પ્રમાણે પર્યાલોચના કરી અને ત્યાર પછી જગતની સૃષ્ટિ કરી, ઘટના પક્ષમાં જેમ, કુંભકાર નિમિત કારણ અને કર્તા છે તેમ જગતના પક્ષમાં પશુપતિ વા ઇશ્વર નિમિત કારણ વા કતાં છે. પ્રધાને વા પ્રકૃતિ ઉપાદાન કારણ છે. વળી બ્રહ્મને આ દુઃખ મોહપરિપૂર્ણ કાર્ય સમષ્ટિનું અથવા જગતનું ઉપાદાન કારણ કહે તે પ્રલયકાળે જ્યારે જગત અથવા સઘળા પદાર્થ વિભાગને પ્રાપ્ત થાશે. ત્યારે ઈશ્વર, પિતાના કાર્યગત દોષ દ્વારા દૂષિત થાશે, અર્થાત સધળા પદાર્થો સાથે ખુદ ઇશ્વર પણ વિભાગને પ્રાપ્ત થાશે. એટલે જ બ્રહ્મને જગતનું ઉ. પાદન કરૂણ કલ્પનાથી સમંજસ્યની રક્ષા રહેતી નથી. ' તેના ઉત્તરમાં શંકરે જવાબ આપ્યો કે " હે પાશુપત મતાવલંબીઓ . તમારું મત સાર ગર્ભ નથી. તમે જે સઘળી યુકિતઓની અવતારણા કરે છો તેને અંગીકાર કરવાથી પ્રતિજ્ઞા અને દષ્ટાંતને વિરોધ આવી પડે છે. પ્રથમ હું પ્રતિજ્ઞાને વિરોધ દેખાડું છું, શ્રુતિમાં કહેલ છે જે “વતતનાदेशममाक्षोयेना श्रुतंश्रुतंभवति अमतमतंमविज्ञातं विज्ञातामात " તમે અમને એ આદેશ કરે છે જે આદેશદ્વારા અમૃતકૃત થાય. અમત મત થાય અને અજ્ઞાન જ્ઞાન હોય જે બ્રહ્મ ઉપાદાન કારણ ન હોય તો એવી રીતને પ્રતિજ્ઞાને વિરોધ થઈ પડે. જેથી કાર્ય સિવાય બીજા કે નિમિત કારણના જ્ઞાનધારા, તેજ કાર્યનું જ્ઞાન થાય નહિ.' બીજું દષ્ટાંતનો વિરોધ થઈ આવે છે. શ્રુતિમાં કહેલ છે જે “સૌને केनमृत्पिडेन सर्वमृन्मयं विज्ञातस्यात् वा चारंभणविकारोनामधेयं તિજોવસત્યમ” હે ! મનો! એક ગૃતિંડનું જ્ઞાન થવાથી, સુઘળા મહૂિંડનું જ્ઞાન થઈ શકે, ત્યારે વાક્યધારા, અમુક હરિ, અમુક યાદવ, કિંવા જેમ ઘટનું નિમિત કારણ કુબકાર અને ઉપાદાન કારણ કૃતિકા તથા કાર્ય ધટ, અહી કા ઘટ જોઈ ઉપદાન કારણ કૃતિકાનું જ્ઞાન થઈ શકે, પણ નિમિત કારણ કુભકારનું જ્ઞાન નહિ થઈ શકે. તેવી રીતે જગતરૂપ કાર્યને જોઈ તેના ઉપાદાન : કારણ પ્રધાન વા પ્રકૃતિનું જ્ઞાન સંભવે પણ નિમિત કારણ પશુપતિ વા ઈશ્વરનું જ્ઞાન સંભવે નહિ. : P.P.AC: Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036418
Book TitleBhagwan Shankaracharya Charit
Original Sutra AuthorN/A
AuthorSavailal Chhotamlal Vora
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size198 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy