SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ કાશીવાસ અને સનંદન વગેરે થે મેળાપ. 29 ચારે તરફ પર્વત ગુફામાં સાધુ લોકોનો સર્વદા ધ્યાનાશકત ચિતથી * નિવાસ,શંકરે જોયો.હિમાલયથી પવિત્ર નિરિવારિ નિગતિ થઈત્યનાં અધીવાસી માનવોની અને પશુ પક્ષી વગેરેની પિપાસા દુર કરે છે શંકર એ પુણ્યતીથે રહી સમાધિનિષ્ટ બ્રહ્માર્ષિ લોકો સાથે વેદત શાસ્ત્રની આલોચના કરવા લાગ્યા. અને ત્યાં શંકરે બ્રહ્મસૂત્રનું મનોહર ભાષ્ય રચ્યું એ ભાષ્યજ શારીરિક ભાષ્ય નામે કહેવાયું. ત્યાર પછી ઉપનિષદે ઉપર શંકરનું મન, અભિનિવિષ થયું શંકરે ઇશ, કેન. કઠ, પ્રશ્ન, મુંડા, માંડું, તૈત્તિરિય, ઐતરેય, છાંદોગ્ય અને બહદારણ્યક, એવાં દશ ઉપનિષદોનાં ભાષ્ય કથા. ઉપનિષદનાં ભાવે ની રચના પુરી કરતાં શંકર ભગવદગીતાના અનુશીલનમાં પ્રવૃત્ત થયા. ગીતાજ મહાભારતની સારભૂત અને ગીતાજ નિખિલ દર્શનાર્થ પ્રકાશક છે. એમ શંકરના જાણવામાં હતું, એટલે કે શંકરે ગીતા શાસ્ત્રના અનુ. શીલનમાં સવિશેષશ્રમ લીધો. જે શ્રમનું પરીણામ ગીતાભાષ્ય એ ઉત્કૃષ્ટ ગીતાભાષ્ય, સઘળા વિસમાજમાં અતિશય આદરથી ગ્રહિત થયું. ત્યાર પછી શંકરે, સનસુજાતીયની અને નૃસિંહતાપનીયની વ્યાખ્યા કરી. આ બને ગ્રંથો પણ જ્ઞાની લોકોમાં અત્યંત આદરની સામગ્રી થઈ પડયા. . એ સિવાય, શંકરે અસંખ્ય સદુપદેશ પૂર્ણ ઉત્કૃષ્ટ ગ્રંથો રચ્યા. જેને પાઠ કરવાથી ચ‘ત લોકો તથા સંસારી લોકો સર્વદા અવિવેકપાશથી મુકત થાય છે. સૂર્યોદયમાં જેમ તમોરાશિ, લય પામે છે, તેમ શંકરતા વેદ ત ભા વ્યના ઉદયમાં દુષ્ટવાદી લોકોની વ્યાખ્યાઓ લય પામી વિનીત અને શમ. દમ તિતિક્ષા વગેરે ગુણસંપન્ન શિખ્યો, અતિ યત્ન સાથે શંકરના ચરણ પ્રાંતમાં બેસી અભિનવું ભાથું અધ્યયન કરવા લાગ્યા. તે શિષ્યો પૈકી સનંદનનું અંતઃકરાગ રાગણ વીગેરેથી રહિત હતું. સનંદન, શંકરનો એકાંત આજ્ઞાનુવતી અને ભકત હતો. તેણે સમગ્ર વેદનું અધ્યક્ત કર્યું હતું. શંકરે તેને ત્રણવાર પોતાના ભાષ્યનું અધ્યયન કરાવ્યું. તેની સાથે શંકરે નિખિલ વેદાંત રહસ્યનો તેને ઉપદેશ આપ્યો. સનંદન તરફ શંકરનું સ્નેહાધિક્ય જે બીજા શિષો કાંઈક ઈર્ષ્યાન્વિત થયા તો પણ તેથી શંકર નું ચિત્ત કોઈપણ વિચલિત થયું નહિ. . કે . . . . ' પાશુપત મત ખંડન * એમ કહેવાય છે કે એક વાર શંકરે પ્રિય શિષ્ય સનંદનને જાહ્નવી ના પરપારથી હાક મારી ત્યારે, " શી રીતે નદી ઉતરીશ ? એમ સન . P.P. Ac. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust
SR No.036418
Book TitleBhagwan Shankaracharya Charit
Original Sutra AuthorN/A
AuthorSavailal Chhotamlal Vora
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size198 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy