SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ મડમિશ્ર * 15 અને પ્રસંશાવાદ આપું છું. આપ ઘેર જઈ કેરલાધિપતિને કહેશે કે રાજાએ સઘળા વર્ણ પિતપોતાની ધાર્મિક જીવિકા અવલંબન કરી, પોતપોતાને નિર્વાહ કરે એમ કરવાનું છે. તમે વર્ષોચિત કર્મ ત્યાગ કરો” એમ રાજા કોઈને કહી શકે નહિ” અમાત્ય કેરલરાજની પાસે જઈ એ સઘળી વાત કહી જેથી રાજા ખુદ, શંકરની પાસે આવ્યો. તેણે આવીને જોયું, તે શંકર અંતેવાસીઓથી પરિત થઈ બેઠેલ છે. જેના શરીર ઉપર ચંદ્ર કિરણના જેવું કાંતિમય ઘ યજ્ઞોપવીત શોભે છે. જેને પરિધાનમાં કૃષ્ણસારનું ચર્મ છે. જેના કટિદેશે મુંજ મેખલા છે, શંકર જાણે કે દુલકવાસી, માનવ દેહ ધારણ કરી પૃથ્વી ઉપર અવતરેલ હોય તેમ રાજાને લાગ્યું, રાજાએ ભકિત સહકારે, શંકરને વારંવાર પ્રણિપાત કરી કરના ચરણારવિંદ પાસે દશ હજાર સોનામહોર અને પોતે બનાવેલાં ત્રણ નાટક મુક્યાં. શંકર એ ગણુ નાટક વાંચી અત્યંત આનંદિત થયા, અને અનુરૂપ તમને પુત્ર મળશે એવો રાજાને શંકરે આશીર્વાદ આપ્યો. રાજાને પાછું શંકરે કહ્યું જે " હે રાજન ! આ સઘળી સેના મહારો કોઈ દરિદ્ર ગ્રહસ્થને આપે, તેથી તેને બહુ ઉપકાર થાશે. હું બ્રહ્મચારી છું. મારે સોના મહોરનું . શું પ્રયોજન છે? એ પ્રમાણે શંકરે, જુદાં જુદાં વાકયથી પોતાના અંતઃકરણને નિસ્પૃહભાવ, વિશેષ ભાવે વ્યક્ત કર્યો. પછી રાજ રાજશેખર પણ શંકરની સાથે કથોપકથનથી પિતાને કૃતાર્થ અને ધન્ય માની શંકરને આશીર્વાદ ગ્રહણ કરી પિતાની નગરીમાં પાછો આવ્યો. * વેદાર્થવિત વિદ્યાર્થીએ શંકરની પાસે ફણિભાષ્ય અને દર્શન શાસ્ત્રના અધ્યયનમાં પ્રવૃત થયા સુધી વર શંકરે જે સઘળા શાસ્ત્રનું અધ્યયન કર્યું હતું તે સઘળા શાસ્ત્રનું નિર્જનસ્થાને આલોચન કરવાથી તે શાસ્ત્રનો સં 1 “બાલારામાયણ” “બાલભારત” " વિદ્વશાલભંજિકા " એ ત્રણ સરકૃત નાટક રાજશેખરસુરિએ રચેલા પ્રસિદ્ધ છે શંકર વિજય નામના ગ્રંથમાં માધવાચાર્ય રાકરચાર્ય સહિત રાજશેખરના મેળાપનું જે વર્ણન કરેલ છે તે વાંચવાથી નિશ્ચય પ્રતીતિ થાય છે કે રાજા રાજશેખર અને રાજશેખરસુરિ અભિન્ન આસામી છે. પ્રત્નતત્વજ્ઞ લેકે કહે છે જે વર્તમાન સમયથી ઘણું કરી 11 વરસ પૂર્વે રાજશેખરસુરિને પ્રાદુર્ભાવ હતો, એ દ્વારાએ બેલગામના ત્રિપત્રમાં શંકરને જે આવિર્ભાવ કાળ લખેલ છે તેની સાથે રાજશેખરના આવિર્ભાવ કાળને મેળ લાગે છે, એટલે કે રાજ શેખરસુરિ અને રાજા રાજશેખર એકજ આશામી છે, રાજશેખરે રમંજરી નામની એક નાટિકા રચેલી જણાય છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Adadhak Trust
SR No.036418
Book TitleBhagwan Shankaracharya Charit
Original Sutra AuthorN/A
AuthorSavailal Chhotamlal Vora
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size198 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy