SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ જન્મભૂમિ અને પિતૃકુળ. અનુમાન કરવા લાગ્યા જે ; ગર્ભસ્થ બાળક એક આશ્ચર્યકારક ચરિત્રવાળો પેદા થશે. - ત્યાર પછી શુભગ્રહ યુક્ત અને શુભગ્રહ કર્તક ઇક્ષિત તથા શુભ લગ્ન સૂર્યાદિગ્રહ સઘળા પિતપોતાના ઉચ્ચસ્થાન રિત સમયમાં શિવગુરૂ પત્નીએ અત્યંત સુખથી એક પુત્રને પ્રસવ આપ્યો. શિવગુરૂ પુત્રમુખ જોઈસુખ સાગરમાં મગ્ન થયા. ત્યાર પછી બાલકના જાતકર્મ વગેરે વૈધ આચાર તથા સંસ્કાર કરી મંગલકામનાથી પુષ્કળ ધન વગેરેનું તેણે દાન કર્યું તે બાળકને જન્મ દિન સઘળાના પક્ષમાં અતિશય આનંદદાયક થયા. સઘળી દિશાઓ પ્રસન્ન થઈ તરૂલતા પુષ્પના ઢગલા સાથે પ્રફુલ્લ થઈ ગઈ. મેધ સુવૃષ્ટિથી ધરાતલને સ્નિગ્ધ અને સુશીતલ કરવા લાગ્યા, સુર્યોદયે જેમ પૃથ્વીની કાંતિ પરિવર્હિત થાય અને વિનય દ્વારા જેમ વિઘાની શોભા વધે, તેમને બાળકના જન્મથી પૃથ્વીની કાંતિ વધી અને શોભિત થઈ. જોશીઓ પુત્રનો જન્મ સમય જોઈ શિવગુરૂને બોલ્યા કે " તમારો એ પુત્ર સર્વજ્ઞ થાશે અને અભિનવ શાસ્ત્રનું પ્રસ્થાન કરશે. જ્યાં સુધી પૃથ્વી વિદ્યમાન રહેશે ત્યાં સુધી તેની કીર્તિ પૃથ્વી ઉપર દેદીપ્યમાન રહેશે.શિવગુરૂતે સમયે આનંદથી અધીર થઈ ગયા. તેને એટલો બધો આનંદ થયે કે પુત્રના અલ્પાયુષ્યની વાત ભુલી ગયા બંધુઓ! સુરંદો,અને આમીય લોકો જુદી જુદી જાતના ઉપહાર લઈ સૂતિકા ગૃહમાં રહેલા બાળકના સંદશને આવવા લાગ્યા ગ્રીષ્મ 1 સંમેષ,મંગળમકરસ્ય, શનિ તુલાયસ્થ અને બૃહસ્પતિ કંઠસ્થ હોવાથી * 2 આનંદગિરિકૃતશંકરવિજયમાં લખેલ છે જે સર્વજ્ઞ નામના કેઈ એક બ્રાહ્મણની કામાક્ષી નામની પત્ની હતી તે અત્યંત સાધ્વી અને સુલક્ષણ યુકત હતી. એક સમયે સર્વજ્ઞ અને કામાક્ષીએ ચિદંબર નામના મહાદેવની આરાધના કરી એક કન્યા મેળવી એ. કુમારી સર્વદા મહાદેવના ધ્યાનમાં આસકત રહેતી હતી. તેનું નામ વિશિષ્ટ હતુ વિશિષ્ટાનું વય જ્યારે આઠ વરસનું હતું, ત્યારે તેના પિતા વિશ્વજીતે તેને કોઈ બ્રાહ્મણને આપી. પરણ્યા. પછી પણ વિશિષ્ઠા મહાદેવની આરાધનામાં આસકત રહેતી હતી.સ્વામીએ તેને એ અવરથામાં છોડી સંન્યાસાશ્રમ પકડયો.વિશિષ્ઠા એપણ તે દિવસથી શિવારાધના કરી શિવને પ્રસન્ન કર્યા એકવાર મહાદેવે પ્રસન્ન થઈ તેના મુખ. 5 કજમાં પ્રવેશ કર્યો તે દિવસથી. વિશિષ્ઠાને ગરમ સંચાર થયો. દશમ મ.સ પૂર્ણ થવાથી તેણે વૈદિક ધર્મ પ્રતિષ્ઠાતા ભગવાન શંકરને જન્મ આપે. 3 બેબે બેલગામ ત્રિપત્રમાં લખેલ જે નિધનામય વિષે જરા અર્થત કલ્યબ્દ 3889 એટલે સંવત 845 માં શંકરાચાર્ચને જન્મ થયો વિશેષ વિવરણ ભૂમિકામાં જેવું P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036418
Book TitleBhagwan Shankaracharya Charit
Original Sutra AuthorN/A
AuthorSavailal Chhotamlal Vora
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size198 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy