SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' સ્વીકારે છે. તેમની આજ્ઞા મુજબ જ ચાલે છે યાવત્ સંયમપાલન કરે છે. ત્યારે તે કાર્તિક શ્રેષ્ઠી 1008 વણિક અણગારોની સાથે અણગાર થયા. ઇર્યાસમિત યાવત્ ગુપ્ત બ્રહ્મચારી થયા. ત્યારે કાર્તિક અણગાર મુનિસુવ્રત અરહંતના તથારૂપ સ્થવિરો પાસે સામયિકાદિ ચૌદ પૂર્વોને ભણ્યા, ઘણા ઉપવાસ-છટ્ટ-અટ્ટમ યાવત્ આત્માને ભાવિત કરતા બહુ પ્રતિપૂર્ણ 12 વર્ષનો શ્રામાણ્ય પર્યાય પાળીને માસિકી સંલેખના વડે આત્માને સેવીને, 60 ભક્તોને અનશન વડે છેદીને, આલોચના કરીને, યાવત્ કાળ કરીને સૌધર્મ કલ્પમાં, સૌધર્માવલંસક વિમાનમાં ઉપપાત સભામાં દેવશય્યામાં યાવતુ દેવેન્દ્ર શક્રપણે ઉત્પન્ન થયા. ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ શકે, ઉત્પન્ન થઈને ઈત્યાદિ, બાકીનું ગંગદત્તવત્ જાણવુ યાવત્ સર્વ દુખોનો અંતા કરશે. વિશેષ એ કે - તેની સ્થિતિ બે સાગરોપમ છે. બાકી પૂર્વવત્. ભગવન્! તે એમ જ છે. તે એમ જ છે. શતક-૧૮, ઉદ્દેશા-૧નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૮, ઉદ્દેશો-૩ ‘માકંદીપુત્ર સૂત્ર-૭૨૮ તે કાળે, તે સમયે રાજગૃહનગર હતું, ગુણશિલક ચૈત્ય હતું. યાવત્ પર્ષદા પાછી ગઈ. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના યાવત્ શિષ્ય પ્રકૃતિભદ્રક માકંદીપુત્ર નામે અણગાર હતા, જેમ શતક-૩ માં, મેડિકપુત્રને કહ્યા તેની સમાન યાવત્ પર્યાપાસના કરતા આમ કહ્યું - ભગવન્શું તે કાપોતલેશ્યી પૃથ્વીકાયિક, કાપોતલેશ્યી પૃથ્વીકાયિક જીવોમાં મરીને અંતરરહિત મનુષ્ય શરીર પ્રાપ્ત કરે છે ? પછી કેવલબોધિ પામે છે ? પછી સિદ્ધ-બુદ્ધ-મુક્ત થઈ યાવતું દુઃખોનો અંત કરે ? હા, માકંદીપુત્ર! યાવત્ તે રીતે. અંત કરે છે. ભગવન્! તે કાપોતલેશ્યી અપ્રકાયિક, કાપોતલેશ્યી અપ્રકાયિકથી અનંતર ઉદ્વર્તીને મનુષ્ય શરીર પામે, પછી કેવલબોધિ પામે પછી યાવત્ દુઃખનો અંત કરે ? હા, માકંદીપુત્ર! યાવત્ અંત કરે છે. ભગવન્! કાપોતલેશ્યી વનસ્પતિકાયિક એ રીતે યાવતુ અંત કરે છે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે, કહી માકંદીપુત્ર અણગાર શ્રમણ ભગવનું મહાવીરને યાવતુ નમીને જ્યાં શ્રમણ નિર્ગળ્યો છે ત્યાં આવે છે. આવીને શ્રમણ નિર્ચન્થોને આમ કહે છે - હે આર્યો! કાપોતલેશ્યી પૃથ્વીકાય પૂર્વવત્ યાવત્ અંત કરે. હે આર્યો ! કાપોતલેશ્યી અપ્રકાયિક યાવત્ અંતા કરે. હે કાર્યો ! કાપોતલેશ્યી વનસ્પતિકાયિક યાવત્ એ રીતે અંત કરે છે. ત્યારે તે શ્રમણ નિર્ચન્હો માર્કેદિક પુત્ર અણગારને આમ કહેતા યાવત્ પ્રરૂપતા, આ અર્થની શ્રદ્ધાદિ કરતા નથી. આ અર્થની અશ્રદ્ધા કરતા, શ્રમણ ભગવદ્ મહાવીર પાસે આવ્યા. આવીને ભગવંતને વંદન, નમસ્કાર કર્યા. કરીને આમ કહ્યું - ભગવન્! માકંદિક પુત્ર અણગારે અમને આમ કહ્યું યાવત્ પ્રરૂપ્યું - હે આર્યો! કાપોતલેશ્યી. પૃથ્વીકાયિક યાવત્ અંત કરે છે, હે આર્યો ! કાપોતલેશ્યી અપ્રકાયિક યાવત્ અંત કરે છે, એ રીતે વનસ્પતિકાયિક પણ યાવત્ અંત કરે છે. એ કઈ રીતે ? આર્યો ! એમ સંબોધી ભગવંતે શ્રમણ-નિર્ચન્થોને આમંત્રીને આમ કહ્યું - હે આર્યો ! જે માકંદિકપુત્ર અણગારે તમને એમ કહ્યું યાવત્ પ્રરૂપ્યું કે - હે આર્યો ! કાપોતલેશ્યી પૃથ્વી-અ-વનસ્પતિકાય યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે, આ અર્થ સત્ય છે. હે આર્યો! હું પણ એમ જ કહું છું. હે આર્યો ! નિશ્ચિતપણે કૃષ્ણલેશ્યી પૃથ્વીકાય, કૃષ્ણલેશ્યી પૃથ્વીકાયિકથી યાવત્ દુઃખનો અંત કરે છે, એ પ્રમાણે હે આર્યો! નીલલેશ્યી પૃથ્વીકાયિક યાવત્ અંત કરે છે. એ રીતે કાપોતલેશ્યી પૃથ્વીકાયિક માફક અપ્રકાયિક, વનસ્પતિકાયિક પણ જાણવા. આ અર્થ સત્ય છે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે, એમ કહી શ્રમણ નિર્ચન્થો ભગવંતને વાંદી, નમીને માકંદિક પુત્ર અણગાર મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 99
SR No.035606
Book TitleAgam 05 Bhagwati 02 Gujarati Translation
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2020
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_bhagwati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy