SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ત્યાંથી યાવતુ મરીને ચોથી પંકપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉપજી યાવત્ ઉદ્વર્તીને સિંહપણે ઉપજશે. ત્યાં પણ શસ્ત્રવધથી તે જ પ્રમાણે યાવતુ મરીને ફરી બીજી વખત ચોથી પંકપ્રભામાં યાવતુ ઉદ્વર્તીને બીજી વખત પણ સિંહપણે ઉપજશે. સિંહપણે યાવત્ મરીને ત્રીજી વાલુકાપ્રભામાં ઉત્કૃષ્ટકાલ યાવત્ ઉદ્વર્તીને પક્ષીમાં ઉત્પન્ન થશે. તેમાં પણ શસ્ત્ર વધથી યાવત્ મરીને બીજી વખત વાલુકાપ્રભામાં યાવત્ ઉદ્વર્તીને બીજી વખત પક્ષી થશે. પક્ષીપણે યાવત્ મરીને બીજી શર્કરામભામાં જશે યાવત્ ઉદ્વર્તીને સરિસર્પમાં ઉપજશે. ત્યાં પણ શસ્ત્રવધથી યાવતું મરીને ફરી બીજી વખત શર્કરામભામાં જશે યાવત્ ઉદ્વર્તીને સરીસર્પમાં ઉપજશે. સરિસર્પમાં યાવત્ મરીને આ રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટકાળ સ્થિતિક નરકમાં નૈરયિકપણે ઉપજશે. યાવત્ ઉદ્વર્તીને સંજ્ઞીમાં ઉપજશે, ત્યાં પણ શસ્ત્રવધથી યાવત્ મરીને અસંજ્ઞીમાં ઉપજશે. ત્યાં પણ શસ્ત્રવધથી યાવત્ મરીને બીજી વખત આ રત્નપ્રભામાં પલ્યોપમના અસંખ્યાત ભાગ સ્થિતિવાળા નરકાવાસમાં નૈરયિક થશે. તે ત્યાંથી ઉદ્વર્તીને યાવતુ જે આ ખેચર જીવોના ભેદ છે તે થશે. જેમ કે - ચર્મપક્ષી, રોમપક્ષી, સમુદ્ગકપક્ષી, વિતતપક્ષી, તેમાં અનેક લાખ વખત મરી-મરી તેમાં જ વારંવાર જન્મ લેશે. બધે જ શસ્ત્રવધથી દાહવેદના પૂર્વક કાળમાસે કાળ કરીને જે આ ભુજ પરિસર્પના ભેદોમાં ઉપજશે. જેમ કે -ગોધ, નકુલ ઇત્યાદિ પ્રજ્ઞાપના સૂત્રમાં પદ-૧ માં કહ્યા મુજબ યાવત્ જાહકાદિ. ત્યાં અનેક લાખ વાર યાવત્ ખેચરવત બધુ કહેવું યાવત્ ત્યાંથી મરીને જે આ ઉર પરિસર્ષના ભેદો છે, જેમ કે - સર્પ, અજગર, આશાલિક, મહોરગ આદિમાં અનેક લાખ વાર ઉપજશે યાવત્ મરીને જે આ. ચતુષ્પદના ભેદો છે, જેમ કે - એકખુર, દ્વિખુર, ગંડીપદ, સનખપદાદિ તેમાં અનેક લાખ વાર ઉપજશે યાવત્ મરીને જે આ જલચરના ભેદો છે-જેમ કે, મત્ય, કચ્છભ યાવત્ સુંસુમાર તેમાં અનેક લાખ વાર ઉપજશે. યાવત્ તેમાં મરીને... જે આ ચતુરિન્દ્રિયના ભેદો છે. જેમ કે - અંબિક, પૌત્રિકાદિ જેમ પન્નવણાસૂત્ર પદ-૧ માં કહ્યા છે યાવત્ ગોમયકીડો, તેમાં અનેક લાખ ભવોમાં ઉપજી યાવત્ મરીને... જે આ તેઇન્દ્રિયના ભેદો છે, જેમ કે - ઉપચિત યાવત્ હસ્તિસૌંડ, તેમાં અનેક લાખ ભવ કરી યાવત્ જે આ બેઇન્દ્રિયના ભેદો છે, જેમ કે - પુલાકૃમિ યાવતુ સમુદ્રલિક્ષા, તેમાં અનેક લાખ ભવ કરીને યાવતું મરીને... જે આ વનસ્પતિકાયના ભેદો છે. જેમ કે - વૃક્ષ, ગુચ્છ યાવત્ કુહગ, તેમાં અનેક લાખ ભવ કરીને યાવત્ મરીને પછી વિશેષ કસવાળા વૃક્ષો અને વેલોમાં ઉપજશે. બધે જ શસ્ત્રવધથી યાવત્ મરીને જે આ વાયુકાયિકના ભેદો છે, જેમ કે - પૂર્વવાયુ યાવતુ શુદ્ધ વાયુ, તેમાં અનેક લાખ ભવો કરીને યાવતું મરીને, જે આ તેઉકાયિકના ભેદો છે. જેમ કે - અંગાર યાવત્ સૂર્યકાંતમણિ નિઃસૃત અગ્નિ આદિમાં અનેક લાખ ભવો કરીને યાવત્ મરશે. પછી જે આ અપ્રકાયિકના ભેદો છે, જેમ કે ઓસ યાવત્ ખાઈનું પાણી, તેમાં અનેક લાખ ભવો કરશે યાવત્ મરી મરીને ફરી. જન્મશે - વિશેષતયા ખારા પાણી તથા ખાઈના પાણીમાં ઉત્પન્ન થશે. બધે જ શસ્ત્રવધથી યાવતુ. મરીને, જે આ પૃથ્વીકાયિકના ભેદો છે, જેમ કે - પૃથ્વી, શર્કરા, યાવત્ સૂર્યકાંત મણિ, તેમાં અનેક લાખ વખત યાવત્ ફરી ફરીને જન્મશે. વિશેષતયા તે ખર-બાદર પૃથ્વીકાયિકમાં જન્મશે. બધે જ શસ્ત્રવધથી યાવતું મરણ પામીને... રાજગૃહનગર બહાર વેશ્યારૂપે ઉત્પન્ન થશે. ત્યાં પણ શસ્ત્રવધથી યાવતું મરણ પામીને બીજી વખત રાજગૃહ નગરની અંદર વેશ્યાપણે ઉપજશે. ત્યાં પણ શસ્ત્રવધથી યાવત્ મરણ પામશે. સૂત્ર-૬પ૯ પેટીમાં બેભેલ સંનિવેશમાં બ્રાહ્મણ કુળમાં બાલિકારૂપે જન્મશે. ત્યારે તે બાલિકા બાલ્યભાવ છોડીને યૌવનને પ્રાપ્ત કરશે, ત્યારે તેના માતા-પિતા ઉચિત શુલ્ક અને ઉચિત વિનય દ્વારા પ્રતિરૂપ પતિને પત્નીરૂપે આપશે. તેણી તેની પત્ની થશે, તે પતિને. ઇષ્ટ, કાંત, યાવત્ અનુમત ભાંડ કરંડક સમાન, રત્નના પટારા સમાના મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 74
SR No.035606
Book TitleAgam 05 Bhagwati 02 Gujarati Translation
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2020
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_bhagwati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy