SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' મહાપદ્મ બાળકના માતાપિતાએ સાતિરેક આઠ વર્ષનો થયેલો જાણીને શોભન તિથિ, કરણ, દિવસ, નક્ષત્ર, મુહૂર્તમાં ઘણા મોટા રાજ્યાભિષેક થી અભિષિક્ત કરશે તે ત્યાં રાજા થશે, તે મહાહિમવંતાદિ રાજા થઈ. યાવત્ વિચરશે. ત્યારે તે મહાપદ્મ રાજા અન્ય કોઈ દિવસે મહદ્ધિક યાવત્ મહાસૌખ્ય બે દેવો સેનાકર્મ કરશે - પૂર્ણભદ્ર અને માણિભદ્ર. તે જોઈને શતદ્વાર નગરના ઘણા રાજા, ઇશ્વર, તલવર યાવત્ મહાસૌખ્ય દેવ સેનાકર્મ કરે છે, તે જોઈને. યાવત્ સાર્થવાહ આદિ એકબીજાને બોલાવીને આ પ્રમાણે કહેશે - હે દેવાનુપ્રિયો! જે કારણથી આપણા મહાપદ્મ રાજાને મહર્ફિક એવા બે દેવો યાવતુ સેનાકર્મ કરે છે - પૂર્ણભદ્ર અને માણિભદ્ર, તેથી હે દેવાનુપ્રિયો ! આપણા મહાપા રાજાનું બીજું નામ દેવસેન થાઓ. ત્યારે મહાપદ્મ રાજાનું બીજું નામ દેવસેન' થશે. ત્યારે તે દેવસેન રાજાને અન્ય કોઈ દિવસે શંખતલ સમાન વિમલ, ચાર દાંતવાળો હસ્તિરત્ન ઉત્પન્ન થશે. ત્યારે તે દેવસેનરાજા તે શંખતલ સમાન વિમલ, ચતુર્દન્ત હસ્તિરત્ન પર આરૂઢ થઈ શતદ્વાર નગરની વચ્ચોવચ્ચથી વારંવાર આવશે-જશે ત્યારે શતદ્વાર નગરમાં ઘણા રાજા, ઇશ્વર યાવત્ સર્વે એકબીજાને બોલાવીને પરસ્પર કહેશે કે હે દેવાનુપ્રિયો ! જેથી આપણો દેવસેન રાજા શંખતલ સમાન વિમલ, ચતુર્દન્ત હસ્તિરત્ન ઉત્પન્ન થયો છે, તેથી હે દેવાનુપ્રિયો ! આપણા દેવસેન રાજાનું ત્રીજું નામ વિમલવાહન થાઓ, ત્યારથી તે દેવસેન રાજાનું ત્રીજું નામ વિમલવાહન થશે. ત્યારે તે વિમલવાહન રાજા અન્ય કોઈ દિવસે શ્રમણ નિર્ચન્થ પ્રત્યે મિથ્યાત્વને અંગીકૃત કરશે. તે કેટલાક શ્રમણો પ્રત્યે આક્રોશ કરશે, કેટલાકનો ઉપહાસ કરશે, કેટલાકને એકમેકથી અલગ કરશે, કેટલાકની ભત્રેના કરશે, કેટલાકને બાંધશે, કેટલાકને નિરુંભશે, કેટલાકનો અંગચ્છેદ કરશે, કેટલાકને મારશે, ઉપદ્રવ કરશે, વસ્ત્ર-પાત્રકંબલ-પાદ પ્રીંછનકને છિન્નભિન્ન કરશે - નાશ કરશે - અપહરણ કરશે, કેટલાકના ભોજન-પાનનો વિચ્છેદ કરશે, કેટલાકને નિર્નગર કરશે, કેટલાકને નિર્વાસિત કરશે. ત્યારે શતદ્વાર નગરમાં ઘણા રાજા, ઇશ્વર યાવત્ કહેશે - હે દેવાનુપ્રિયો ! વિમલવાહન રાજા શ્રમણ નિર્ચન્થ પ્રતિ મિથ્યાત્વવાસિત થઈને કેટલાક શ્રમણાદિ પ્રત્યે આક્રોશ કરે છે યાવત્ નિર્વાસિત કરે છે. હે દેવાનુપ્રિયો ! તે. આપણે માટે શ્રેયસ્કર નથી, તે વિમલવાહન રાજા માટે પણ શ્રેયસ્કર નથી, તે રાજ્ય-રાષ્ટ્ર-સૈન્ય-વાહન-પુરઅંતઃપુર કે જનપદ માટે પણ શ્રેયસ્કર નથી કે જે આ વિમલવાહન રાજા શ્રમણ-નિર્ચન્હો પ્રત્યે મિથ્યાત્વી થયો છે. હે દેવાનુપ્રિયો ! તો શ્રેયસ્કર છે કે આપણે વિમલવાહન રાજાને આ વિષયમાં વિનયપૂર્વક કહીએ. આ પ્રમાણે વિચારી એકબીજાની પાસે આ અર્થને સ્વીકારીને વિમલવાહન રાજા પાસે જશે, જઈને બે હાથ જોડી, વિમલવાહન રાજાને જય વિજય વડે વધાવીને એમ કહેશે - હે દેવાનુપ્રિય! શ્રમણ નિર્ચન્હો પ્રતિ આપ મિથ્યાત્વી થયા છો. કેટલાક પર આપ આક્રોશ કરો છો યાવત્ કેટલાકને આપ નિર્વાસિત કરો છો. હે દેવાનુપ્રિય ! તે આપના કે અમારા માટે શ્રેયસ્કર નથી. રાજ્ય, રાષ્ટ્ર યાવત્ જનપદ માટે પણ શ્રેયસ્કર નથી કે આપ દેવાનુપ્રિય શ્રમણ નિર્ચન્થ પ્રતિ અનાર્યત્વ સ્વીકારો. હે દેવાનુપ્રિય! આપ આ અકાર્યથી અટકો. ત્યારે તે વિમલવાહન રાજા, તે ઘણા રાજા, ઇશ્વર યાવતું સાર્થવાહ આદિ વિનયપૂર્વક કહેશે, ત્યારે “ધર્મ કાંઈ નથી, તપ મિથ્યા છે એવી બુદ્ધિ છતાં મિથ્યા વિનય બતાવી આ વાતને સ્વીકારી લેશે. તે શતદ્વાર નગરની બહાર ઈશાન ખૂણામાં સુભૂમિભાગ નામે ઉદ્યાન હશે. તે સર્વઋતુક આદિ હશે. તે કાળે, તે સમયે વિમલ અરહંતના પ્રશિષ્ય સુમંગલ નામે અણગાર, જાતિસંપન્નાદિ, ધર્મઘોષ અણગાર સમાન હશે યાવત્ તેઓ સંક્ષિપ્ત-વિપુલ તેજોલેશ્યાવાળા, ત્રણ જ્ઞાન વડે યુક્ત હશે. તેઓ સુભૂમિભાગ ઉદ્યાનની કંઈક સમીપે નિરંતર છટ્ટ-છરે તપ કરતા યાવતું આતાપના લેતા વિચરશે. ત્યારે અન્ય કોઈ દિવસે તે વિમલવાહન રાજા રથચર્યા કરવા નીકળશે. ત્યારે તે રાજા સુભૂમિભાગ ઉદ્યાનની કિંઈક સમીપથી રથચર્યા કરતા નિરંતર છ3-છઠ્ઠના તપપૂર્વક યાવત્ આતાપના લેતા સુમંગલ અણગારને જોશે. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 72
SR No.035606
Book TitleAgam 05 Bhagwati 02 Gujarati Translation
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2020
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_bhagwati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy