SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૧૫ સૂત્ર-૬૩૭ ભગવતી મૃતદેવતાને નમસ્કાર. તે કાળે, તે સમયે શ્રાવસ્તી નામે નગરી હતી. તે શ્રાવસ્તી નગરીની બહાર ઈશાન ખૂણામાં ત્યાં કોષ્ઠક નામે ચૈત્ય હતું. તે શ્રાવસ્તી નગરીમાં હાલાહલા નામે કુંભારણ આજીવિક-ઉપાસિકા રહેતી હતી, તેણી ઋદ્ધિમાન યાવત્ અપરિભૂત હતી. તેણી આજીવિક સિદ્ધાંતની લબ્ધાર્થી, ગૃહીતાર્થ, પુછિતાર્યા, વિનિશ્ચિતાર્થા, અસ્થિમજ્જાવત્ પ્રેમ-અનુરાગરક્તા હતી. હે આયુષ્યમાન્ આજીવિક સિદ્ધાંત જ અર્થ છે, એ જ પરમાર્થ છે, બાકી બધો અનર્થ છે, એમ તેમાં આત્માને ભાવિત કરી રહેતી હતી. તે કાળે, તે સમયે ગોશાલક મંખલિપુત્ર 24 વર્ષના પર્યાયવાળો હતો, તે હાલાહલા કુંભારણની કુંભાર-આપણા માં આજીવિકસંઘથી પરિવરીને આજીવિક સિદ્ધાંતમાં આત્માને ભાવિત કરતો રહેલો. ત્યારે તે ગૌશાળા પાસે અન્ય કોઈ દિવસે છ દિશાચરો આવ્યા, તે આ - શાણ, કલંદ, કર્ણિકાર, અચ્છિદ્ર, અગ્નિવૈશ્યાયન, ગૌતમપુત્ર અર્જુન. ત્યારે તે છ દિશાચરો પૂર્વશ્રતમાં કથિત અષ્ટાંગ નિમિત્ત અને દશમાં માર્ગમાં પોત-પોતાના મતિદર્શનોથી નિસ્પૃહણા કરીને ગોશાલક મંખલિપુત્ર પાસે ઉપસ્થિત થયા. ત્યારે તે ગોશાલક મંખલિપુત્ર, તે અષ્ટાંગ મહાનિમિત્તના કોઈ ઉપદેશ દ્વારા સર્વે - પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વોને માટે આ છ અનતિક્રમણીય વાતોના વિષયમાં ઉત્તર આપવા લાગ્યો. તે આ - લાભ, અલાભ, સુખ, દુઃખ, જીવિત અને મરણ. ત્યારે તે ગોશાળો તે અષ્ટાંગ મહાનિમિત્તના સ્વલ્પ ઉપદેશ માત્રથી શ્રાવસ્તી નગરીમાં જિન ન હોવા છતાં હું જિન છું તેમ કહેતો, અરહંત ન હોવા છતાં હું અરહંત છું એમ કહેતો, કેવલી ન હોવા છતાં હું કેવલી છું’ એમ કહેતો અસર્વજ્ઞ છતાં સર્વજ્ઞ પ્રલાપતો, અજિન છતાં જિન છે તેમ કહેવા લાગ્યો. સૂત્ર-૬૩૮ ત્યારે શ્રાવસ્તી નગરીમાં શૃંગાટક યાવત્ માર્ગોમાં ઘણા લોકો પરસ્પર એકબીજાને આમ કહેવા યાવત્ પ્રરૂપવા લાગ્યા કે - હે દેવાનુપ્રિયો! એ પ્રમાણે ખરેખર, ગોશાલક મંખલિપુત્ર જિન, જિનપ્રલાપી યાવત્ કહેવડાવતો. વિચરે છે તો આ વાત કઈ રીતે માનવી? તે કાળે, તે સમયે સ્વામી પધાર્યા યાવત્ પર્ષદા પાછી ગઈ. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના મોટા શિષ્ય ઇન્દ્રભૂતિ અણગાર જે ગૌતમ ગોત્રના હતા, યાવત્ નિરંતર છ3-છઠ્ઠ તપ કરતા. એ પ્રમાણે જેમ બીજા શતકમાં નિર્ચન્થ ઉદ્દેશકમાં કહ્યું છે યાવતું ભ્રમણ કરતા ઘણા લોકોના શબ્દોને સાંભળે છે. ઘણા લોકો પરસ્પર આ પ્રમાણે કહે છે - હે દેવાનુપ્રિયો! ખરેખર, ગોશાલક મંખલિપુત્ર જિન, જિનપ્રલાપી યાવત્ કહેતો વિચરે છે, તે કેમ માનવું ? ત્યારે ગૌતમસ્વામીએ ઘણા લોકો પાસે આ વાત સાંભળી, અવધારી યાવત્ જાતશ્રાદ્ધ થઇ યાવત્ ભોજનપાન દેખાડીને યાવત્ પય્પાસના કરતા આમ કહ્યું - એ પ્રમાણે હે ભગવન્ ! હું ભ્રમણ કરતો હતો ત્યારે ઇત્યાદિ બધું કહેવું યાવત્ ગોશાલક, જિન શબ્દ પ્રકાશતો વિચરે છે. તો હે ભગવન્! આ વાત કેમ માનવી? તેથી હે ભગવન્! ગોશાળા મંખલિપુત્રના ઉત્થાન-પરિયાણ આપ કહો તેમ હું ઇચ્છું છું. ગૌતમાદિને સંબોધીને શ્રમણ ભગવદ્ મહાવીરે ગૌતમસ્વામીને આમ કહ્યું - જે તે ઘણા લોકો પરસ્પર એમાં કહે છે - પ્રરૂપે છે - ખરેખર, ગોશાળો જિન, જિનપ્રલાપી યાવતુ કહેતો વિચરે છે. તે મિથ્યા છે. હે ગૌતમ ! હું એ પ્રમાણે કહું છું યાવત્ પ્રરૂપું છું કે - ખરેખર, આ ગોશાલક મંખલિપુત્રના ‘મંખલિ' નામે મંખ પિતા હતા. તે સંખલિ મંખને ભદ્રા નામે સુફમાલ યાવતુ પ્રતિરૂપ પત્ની હતી, ત્યારે તે ભદ્રા પત્ની અન્ય કોઈ દિવસે ગર્ભિણી થઈ. તે કાળે, તે સમયે શરવણ નામે સંનિવેશ હતું. તે ઋદ્ધિમય, સ્તિમિત યાવત્ દેવલોક સમાન પ્રકાશવાળ, મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 55
SR No.035606
Book TitleAgam 05 Bhagwati 02 Gujarati Translation
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2020
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_bhagwati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy