SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' જાણે-જુએ ? હા, ગૌતમ ! ભાવિતાત્મા તે જાણે-જુએ. ભગવદ્ ! શું સરૂપી સકર્મલેશ્ય પુદ્ગલો અવભાસે છે ?, પ્રકાશિત થાય છે ? હા, થાય છે. ભગવન્! તે સરૂપી-સકર્મલેશ્ય પુદ્ગલ કયા છે? ગૌતમ ! ચંદ્ર અને સૂર્ય દેવના વિમાનોથી નીકળેલ બાહ્ય વેશ્યા તેને અવભાસે છે, પ્રકાશે છે. એ પ્રમાણે હે ગૌતમ ! તે સરૂપી–સકર્મલેશ્યી પુદગલો અવભાસિત, પ્રકાશિત આદિ થાય છે. સૂત્ર-૬૩૨, 633 632. ભગવદ્ ! નૈરયિકોને આત્ત-સુખકારક પુદ્ગલ હોય કે અનાત્ત-અસુખકારક? ગૌતમ ! આજ્ઞ પુદ્ગલ નથી, અનાર પુદ્ગલ છે. ભગવદ્ ! અસુરકુમારને શું આત્ત પુદ્ગલ છે કે અનાર ? ગૌતમ ! આત્ત પુદ્ગલ છે, અનાત્તા નથી. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવુ. પૃથ્વીકાયિકની પૃચ્છા. ગૌતમ ! આત્ત પુદ્ગલ પણ હોય અને અનાર પુદ્ગલ પણ હોય. એ પ્રમાણે મનુષ્ય સુધી જાણવુ. વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકોને અસુરકુમારવત જાણવા. ભગવન્! નૈરયિકોને ઇષ્ટ પુદ્ગલ હોય કે અનિષ્ટ? ગૌતમ ! ઇષ્ટ પુદ્ગલ ન હોય, અનિષ્ટ હોય. જેમ આત્ત પુદ્ગલો કહ્યા તેમ ઇષ્ટ પણ કહેવા. કાંત, પ્રિય, મનોજ્ઞ પણ કહેવા. આ પાંચ દંડક છે. 633. ભગવન્! મહદ્ધિક યાવત્ મહાસૌખ્ય દેવ શું હજાર રૂપ વિકુર્તી, હજાર ભાષા બોલવા સમર્થ છે? હા, સમર્થ છે. ભગવન્! શું તે એક ભાષા છે કે હજાર ભાષા છે? ગૌતમ! તે એક ભાષા છે, હજાર ભાષા નથી. સૂત્ર-૬૩૪ તે કાળે, તે સમયે ગૌતમસ્વામીએ તત્કાળ ઉદિત, જાસુમણ પુષ્પ પુંજ પ્રકાશ સમાન લાલ વર્ણનો બાળસૂર્ય જોયો, જોઈને જાતશ્રદ્ધ યાવત્ સમુત્પન્ન કુતૂહલ થઈ જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવે છે યાવત્ નમીને યાવત્ આ પ્રમાણે કહ્યું - ભગવદ્ ! આ સૂર્ય શું છે? આ સૂર્યનો અર્થ શો છે? ગૌતમ ! સૂર્ય શુભ છે, સૂર્યનો અર્થ શુભ છે. ભગવદ્ ! આ સૂર્ય શું છે? આ સૂર્યની પ્રભા શું છે? એ પ્રમાણે જ કહેવું. એ પ્રમાણે છાયા અને વેશ્યા કહેવી. સૂત્ર-૬૩૫ ભગવન્! જે આ શ્રમણ નિર્ચન્થ આર્યત્વયુક્ત થઈ વિચરે છે, તેઓ કોની તેજોલેશ્યાનું અતિક્રમણ કરે છે? ગૌતમ ! એક માસના પર્યાયવાળા શ્રમણ નિર્ચન્થ વ્યંતર દેવોની તેજોલેશ્યાને અતિક્રમે છે. બે માસ પર્યાયવાળા શ્રમણ નિર્ચન્થ અસુરેન્દ્ર વર્જીને બાકી ભવનવાસી દેવની તેજોલેશ્યાને અતિક્રમે છે. ત્રણ માસ પર્યાયવાળા શ્રમણ અસુરકુમાર દેવોની તેજોલેશ્યાને, ચાર માસ પર્યાયવાળા ચંદ્ર-સૂર્ય જ્યોતિશ્કેન્દ્ર જ્યોતિષરાજની તેજોલેશ્યાને, છા માસ પર્યાયવાળા શ્રમણ સૌધર્મ-ઈશાન દેવોની, સાત માસ પર્યાયવાળા સનસ્કુમાર-માહેન્દ્ર દેવોની, આઠ માસ પર્યાયવાળા બ્રહ્મલોક-લાંતકના દેવોની તેજોલેશ્યાને, દશ માસ પર્યાયવાળા આનત-પ્રાણત આરણ-અય્યતા દેવોની, ૧૧-માસ પર્યાયવાળા રૈવેયક દેવોની, બાર માસ પર્યાયવાળા શ્રમણ નિર્ચન્થ અનુત્તરોપપાતિક દેવોની. તેજોલેશ્યાને અતિક્રમે છે. ત્યારપછી શુક્લ, શુક્લાભિજાત થઈને પછી સિદ્ધ થાય છે યાવત્ અંત કરે છે. ભગવન્! તે એમ જ છે. તે એમ જ છે. કહીને વિચરે છે. શતક-૧૪, ઉદ્દેશા-૯નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૪, ઉદ્દેશો-૧૦ ‘કેવલી' સૂત્ર-૬૩૬ ભગવન્! શું કેવલી છદ્મસ્થને જાણે અને જુએ ? હા, જાણેઅને જુએ. ભગવદ્ ! જે રીતે કેવલી છદ્મસ્થને જાણે-જુએ, તે રીતે સિદ્ધો પણ છદ્મસ્થને જાણે-જુએ? હા, જાણે-જુએ. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 53
SR No.035606
Book TitleAgam 05 Bhagwati 02 Gujarati Translation
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2020
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_bhagwati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy