SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' સૂત્ર-૬૨૨, 623 622. ભગવન્! લવસપ્તમ દેવ શું લવસપ્તમ હોય છે? હા, હોય છે. ભગવન્! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જેમ કોઈ પુરુષ તરુણ યાવત્ નિપુણ-શિલ્પકલા જ્ઞાતા હોય, તે પરિપક્વ, કાપવાને યોગ્ય અવસ્થાને પ્રાપ્ત, પીળા પડેલ, પીળી જાળીવાળા શાલિ - વ્રીહિ - ઘઉં - જવ - જવજવની વિખરાયેલ નાલોને હાથથી એકઠા કરી, મુઠ્ઠીમાં પકડી નવી ધાર પર ચડાવેલ તીક્ષ્ણ દાંતથી શીઘ્રતાથી કાપે, એ રીતે સાત લવ જેટલા સમયમાં કાપી લે, હે ગૌતમ ! જો તે દેવનું આટલુ વધુ આયુ હોય તો તે એ જ ભવે સિદ્ધ થઈ યાવત્ અંત કરે છે. તેથી તે દેવને લવસપ્તમ કહેવાય. 623. ભગવદ્ ! અનુત્તરોપપાતિક દેવ, અનુત્તરોપપાતિક દેવ હોય છે ? હા, હોય છે. ભગવનું ! એમ કેમ કહ્યું? ગૌતમ ! અનુત્તરોપપાતિક દેવોને અનુત્તર શબ્દો યાવત્ અનુત્તર સ્પર્શ હોય છે, તેથી હે ગૌતમ ! એવું કહ્યું છે. ભગવદ્ ! અનુત્તરોપપાતિક દેવો કેટલા કર્મ બાકી રહેતા અનુત્તરોપપાતિક દેવપણે ઉત્પન્ન થાય છે? ગૌતમ! શ્રમણ નિર્ચન્થ ષષ્ઠભક્ત તપથી જેટલા કર્મોની નિર્જરા કરે છે, તેટલા કર્મો બાકી રહેતા અનુત્તરોપપાતિક દેવ દેવપણે ઉત્પન્ન થાય છે. ... ભગવનું ! તે એમ જ છે, એમ જ છે. શતક-૧૪, ઉદ્દેશા-૭નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૪, ઉદ્દેશો-૮ ‘અંતર’ સૂત્ર-૬૨૪ ભગવદ્ ! આ રત્નપ્રભા પૃથ્વી અને શર્કરામભા પૃથ્વીનું કેટલું અબાધાએ અંતર છે ? ગૌતમ ! અસંખ્યાતા હજાર યોજન અંતર છે. .... ભગવદ્ ! શર્કરામભા અને વાલુકાપ્રભા પૃથ્વીમાં કેટલું અબાધા અંતર છે ? એ પ્રમાણે યાવત્ તમાં અને અધઃસપ્તમી પૃથ્વી સુધી કહેવું. ભગવદ્ ! અધઃસપ્તમી પૃથ્વી અને અલોકનું અબાધા અંતર કેટલું છે ? ગૌતમ ! અસંખ્યાત હજાર યોજના અબાધાએ અંતર છે. ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીથી જ્યોતિષ્ક દેવવિમાનનું કેટલું અંતર છે? ગૌતમ ! 790 યોજન અબાધાએ અંતર કહેલ છે. ભગવદ્ ! જ્યોતિષ્ક દેવવિમાનનું થી સુધર્મ-ઈશાન કલ્પનું કેટલું અંતર છે ? ગૌતમ ! અસંખ્યાત યોજના યાવત્ અંતર કહેલ છે. ભગવદ્ ! સૌધર્મ-ઈશાનકલ્પથી સનસ્કુમાર-માણેકલ્પનું અંતર કેટલું છે? એ પ્રમાણે જ છે. સનકુમાર -માહેન્દ્રથી બ્રહ્મલોક કલ્પનું અંતર ? એ પ્રમાણે જ છે. ભગવન્! બ્રહ્મલોકથી લાંતક કલ્પનું? એ પ્રમાણે જ છે. ભગવદ્ ! લાંતકથી મહાશુક્ર કલ્પનું? એ પ્રમાણે અંતર છે. મહાશુક્ર કલ્પથી સહસારનું એમ જ છે. સહસારથી આનત-પ્રાણત કલ્પનું એમ જ છે, આનત-પ્રાણત કલ્પથી આરણ-અર્ચ્યુત કલ્પનું એમ જ છે. આરણ-અર્ચ્યુતથી રૈવેયક અને રૈવેયકથી અનુત્તર વિમાનનું એમ જ છે. ભગવન્! અનુત્તર વિમાનથી ઈષત્ પ્રાભારા પૃથ્વીનું અંતર ? ગૌતમ ! બાર યોજન અબાધાએ અંતર છે. ઇષત્ પ્રાભારા પૃથ્વીથી અલોકનું અંતર ? ગૌતમ ! દેશોન એક યોજન અબાધા અંતર છે. સૂત્ર-૬૨૫ ભગવન્ઉષ્ણતાથી પીડિત, તૃષાથી પીડિત, દાવાગ્નિ વાલાથી પીડિત આ શાલવૃક્ષ કાળમાસે કાળ કરીને ક્યાં જાય છે? ક્યાં ઉપજે છે ? ગૌતમ ! આ જ રાજગૃહનગરમાં શાલવૃક્ષપણે ઉત્પન્ન થશે. તે ત્યાં અર્ચિત-વંદિતપૂજિત-સત્કારિત-સન્માનિત અને દિવ્ય, સત્ય, સત્યાનપાત, સન્નિહિત પ્રાતિહાર્ય, લીપલ-પૉતેલ પૂજનીય થશે. ભગવન્! ત્યાંથી અનંતર ઉદ્વર્તીને ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે? ગૌતમ ! મહાવિદેહક્ષેત્રે સિદ્ધ થશે યાવત્ અંત કરશે. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 51
SR No.035606
Book TitleAgam 05 Bhagwati 02 Gujarati Translation
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2020
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_bhagwati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy