SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ચકાકાર છે એ રીતે ‘તમા' દિશાનું વર્ણન પણ જાણવું. સૂત્ર-પ૭૫ થી પ૭૭ પ૭૫. ભગવદ્ ! આ ‘લોક' શું કહેવાય છે? ગૌતમ ! પંચાસ્તિકાયના સમૂહરૂપ આ લોક કહેવાય છે. તે આ - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય. ભગવન્! ધર્માસ્તિકાયથી જીવોની શું પ્રવૃત્તિ છે? ગૌતમ ! ધર્માસ્તિકાયથી જીવોનું આગમન, ગમન, ભાષા, ઉન્મેષ, મનોયોગ, વચનયોગ અને કાયયોગ પ્રવૃત્તિ થાય છે. આ અને આવા પ્રકારના બધા ચલ ભાવ છે, તે ધર્માસ્તિકાય દ્વારા પ્રવૃત્ત થાય છે. તેનું લક્ષણ ગતિ છે. ભગવદ્ ! અધર્માસ્તિકાયથી જીવોની શું પ્રવૃત્તિ છે? ગૌતમ ! તેના વડે જીવોના સ્થાન, બેસવું, સૂવું, મનનું એકાગ્ર થવું વગેરે જે આવા પ્રકારના અન્ય સ્થિર ભાવો છે, તે બધા અધર્માસ્તિકાયની પ્રવૃત્તિ છે. અધર્માસ્તિકાયનું લક્ષણ સ્થિતિ છે. ભગવન્! આકાશાસ્તિકાયમાં જીવો અને અજીવોની શું પ્રવૃત્તિ છે ? ગૌતમ ! આકાશાસ્તિકાય, બંનેના. આશ્રયરૂપ છે. પ૭૬. એક કે બે પરમાણુથી એક આકાશ પ્રદેશ પૂર્ણરૂપે વ્યાપ્ત થાય છે. તેમાં સો પરમાણુ પણ સમાઈ શકે ડ આકાશ પ્રદેશ પૂર્ણ ભરાય જાય છે, 1000 કરોડ યાવત અનંતાનંત પરમાણુ પણ સમાઈ શકે છે. આકાશાસ્તિકાયનું લક્ષણ અવગાહના છે. પ૭૭. ભગવન્જીવાસ્તિકાયથી જીવોની શું પ્રવૃત્તિ છે ? ગૌતમ ! જીવાસ્તિકાય દ્વારા જીવો અનંત આભિનિબોધિક જ્ઞાન પર્યાયો, અનંત શ્રુતજ્ઞાન પર્યાયો, એ રીતે બીજા શતકના અસ્તિકાય ઉદ્દેશક મુજબ ચાવત્ તે ઉપયોગને પામે છે. જીવનું લક્ષણ ઉપયોગ છે. પુદ્ગલાસ્તિકાયની પૃચ્છા. ગૌતમ ! પુદ્ગલાસ્તિકાયથી જીવોને ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાર્પણ શરીર., શ્રોત્ર-ચક્ષુ-ધ્રાણ-જીભ-સ્પર્શન ઇન્દ્રિય, મન-વચન-કાયયોગ, શ્વાસોચ્છવાસ ગ્રહણની પ્રવૃત્તિ થાય છે. પુદ્ગલાસ્તિકાયનું લક્ષણ ‘ગ્રહણ’ રૂપ છે. સૂત્ર-પ૭૮, પ૭૯ પ૭૮. ભગવન્! ધર્માસ્તિકાયનો એક પ્રદેશ કેટલા ધર્માસ્તિકાય પ્રદેશો વડે ઋષ્ટ છે? ગૌતમ! જઘન્યપદે ત્રણ પ્રદેશોને અને ઉત્કૃષ્ટથી છ પ્રદેશોને સ્પર્શે છે. ભગવન્ધર્માસ્તિકાયનો એક પ્રદેશ કેટલા અધર્માસ્તિકાય પ્રદેશથી સ્પષ્ટ છે? ગૌતમ ! જઘન્યથી ચાર, ઉત્કૃષ્ટથી સાત. કેટલા આકાશાસ્તિકાય પ્રદેશથી સ્પષ્ટ છે ? ગૌતમ ! સાત. કેટલા જીવાસ્તિકાય પ્રદેશથી પૃષ્ટ છે? અનંતથી. કેટલા પુદ્ગલાસ્તિકાયથી સ્પષ્ટ છે ? ગૌતમ ! અનંતથી. કેટલા અદ્ધા સમયથી સ્પષ્ટ છે ? કદાચ પૃષ્ટ હોય, કદાચ ન હોય. જો પૃષ્ટ હોય તો નિયમાં અનંતથી સ્પષ્ટ હોય. ભગવનએક અધર્માસ્તિકાયનો પ્રદેશ કેટલા ધર્માસ્તિકાય પ્રદેશથી સ્પષ્ટ છે ? ગૌતમ ! જઘન્યથી ચાર, ઉત્કૃષ્ટથી સાત વડે. કેટલા અધર્માસ્તિકાયથી સ્પષ્ટ છે? જઘન્યથી ત્રણ, ઉત્કૃષ્ટથી છ વડે. બાકી બધું ધર્માસ્તિકાય મુજબ જાણવુ. ભગવદ્ ! એક આકાશાસ્તિકાય પ્રદેશ કેટલા ધર્માસ્તિકાય પ્રદેશ વડે પૃષ્ટ છે? ગૌતમ ! કદાચ સ્પષ્ટ હોય, કદાચ પૃષ્ટ ન હોય. જો પૃષ્ટ હોય તો જઘન્યથી એક, બે, ત્રણ કે ચાર વડે હોય. ઉત્કૃષ્ટથી સાત વડે હોય. એ રીતે અધર્માસ્તિકાય પ્રદેશમાં પણ જાણવું. ભગવન્! કેટલા આકાશાસ્તિકાય પ્રદેશથી સ્પષ્ટ હોય ? ગૌતમ ! છ વડે. કેટલા જીવાસ્તિકાય પ્રદેશથી ? કદાચ પૃષ્ટ હોય, કદાચ ન હોય. જો પૃષ્ટ હોય તો નિયમા અનંત પ્રદેશથી હોય એ રીતે પુદ્ગલાસ્તિકાય, મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 34
SR No.035606
Book TitleAgam 05 Bhagwati 02 Gujarati Translation
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2020
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_bhagwati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy