SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' શતક-૩૫ શતક-૩૫, શતકશતક-૧, ઉદ્દેશો-૧ સૂત્ર-૧૦જ્જ ભગવન્! મહાયુગ્મો કેટલા કહ્યા છે ? ગૌતમ! સોળ. તે આ - 1. કૃતયુગ્મ કૃતયુગ્મ, 2. કૃતયુગ્મ ચોક, 3. કૃતયુગ્મ દ્વાપરયુગ્મ, 4. કૃતયુગ્મ કલ્યોજ, 5. ઋોજ કૃતયુગ્મ, 6. ચોર ચોજ, 7. ચોજ દ્વાપરયુગ્મ 8. વ્યોજ કલ્યોજ, 9. દ્વાપરયુગ્મ કૃતયુગ્મ, 10. દ્વાપરયુગ્મ ચોક, 11. દ્વાપરયુગ્મ દ્વાપરયુગ્મ, 12. દ્વાપરયુગ્મ કલ્યોજ, 13. કલ્યોજ કૃતયુગ્મ, 14. કલ્યોજ ચોક, 15. કલ્યોજ દ્વાપરયુગ્મ, 16. કલ્યોજ કલ્યો. ભગવન્! એમ કેમ કહ્યું - 16 યુગ્મો છે ? ગૌતમ! જે રાશિમાં ચાર સંખ્યા અપહાર કરતા - 1. શેષ ચાર રહે, તે રાશિના અપહાર સમયે તે પણ કૃતયુગ્મ હોય તો કૃતયુગ્મ કૃતયુગ્મ. 2. શેષ ત્રણ રહે, તે રાશિના અપહાર સમયે કૃતયુગ્મ હોય તે કૃતયુગ્મ ચોજ. 3. શેષ બે રહે, તે રાશિ અપહાર સમયે કૃતયુગ્મ હોય તે કૃતયુગ્મ દ્વાપરયુગ્મ. 4. શેષ એક રહે, તે રાશિ અપહાર સમયે કૃતયુગ્મ હોય તે કૃતયુગ્મ કલ્યોજ છે. જે રાશિ ચાર વડે અપહાર કરીએ અને તે રાશિના અપહાર સમયે ચ્યોજ હોય તેમાં - 1. શેષ ચાર વધે તો વ્યોજ કૃતયુગ્મ, 2. શેષ ત્રણ વધે તો ચોજ ચોજ, 3. શેષ બે વધે તો ચોજદ્વાપર યુગ્મ, 4. શેષ એક વધે તો સ્ત્રોજ કલ્યોજ. જે રાશિના અપહાર સમયે તે દ્વાપરયુગ્મ હોય અને જે રાશિ ચાર સંખ્યા વડે અપહાર કરાતા - 1. શેષ ચાર વધે તો દ્વાપરયુગ્મ કૃતયુગ્મ, 2. શેષ ત્રણ વધે તો દ્વાપરયુગ્મ ચોજ, 3. શેષ બે વધે તો દ્વાપરયુગ્મ-દ્વાપરયુગ્મ અને 4. શેષ એક વધે તો દ્વાપરયુગ્મ કલ્યોજ જાણવી. જે રાશિના અપહાર સમયે તે કલ્યોજ હોય અને જેને ચાર સંખ્યાથી અપહાર કરતા - 1. શેષ ચાર વધે તો કલ્યોજ કૃતયુગ્મ, 2. શેષ ત્રણ વધે તો કલ્યોજ ચોજ, 3. શેષ બે વધે તો કલ્યોજ દ્વાપરયુગ્મ, 4. શેષ એક વધે તો કલ્યોજ કલ્યોજ. તેથી એમ કહ્યું કે યાવતું કલ્યોજ કલ્યોજ છે. સૂત્ર-૧૦૪૫ ભગવદ્ ! કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે ? ઉત્પલોદ્દેશક માફક ઉપપાત કહેવો. ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉપજે છે ? ગૌતમ! 16, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા. ભગવન્! તે જીવો સમયે સમયે પ્રશ્ન ? ગૌતમ ! અનંતા સમયે સમયે અપહાર કરાતા અનંતી ઉત્સર્પિણીઅવસર્પિણીથી અપહાર કરાતા પણ તેનો ઉપહાર થતો નથી. તેનું ઉચ્ચત્વ ઉત્પલોદ્દેશ મુજબ છે. ભગવન્! તે જીવો જ્ઞાનાવરણીય કર્મના બંધક છે કે અબંધક ? ગૌતમ ! બંધક છે, અબંધક નથી, આયુને છોડીને બધા કર્મોમાં કહેવું. આયુકર્મના બંધક કે અબંધક હોય. ભગવન્! તે જીવો જ્ઞાનાવરણીય કર્મના ? ગૌતમ! વેદક છે, અવેદક નથી, એ પ્રમાણે બધા કર્મોમાં જાણવુ. ભગવન્તે જીવો શું સાતા વેદક છે કે અસાતા વેદક ? ગૌતમ ! સાતવેદક છે, અસાતવેદક પણ છે. એ પ્રમાણે ઉત્પલોદ્દેશક પરિપાટી જાણવી. બધા કર્મોના ઉધ્યવાળા છે, અનુદયી નથી. છ કર્મોના ઉદીરક છે, અનુદીરક નથી. વેદનીય-આયુના ઉદીરક કે અનુદીરક છે. ભગવન્! તે જીવો શું કૃષ્ણલેશ્યી છે ? ગૌતમ ! કૃષ્ણ-નીલ-કાપોત કે તેજલેશ્યી છે. માત્ર મિથ્યાદૃષ્ટિ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 222
SR No.035606
Book TitleAgam 05 Bhagwati 02 Gujarati Translation
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2020
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_bhagwati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy