________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' અનાકારોપયુક્તા સુધીના બધા સલેશ્યી માફક કહેવા. પંચેન્દ્રિયતિર્યંચ માફક મનુષ્યની પણ વક્તવ્યતા કહેવી. વિશેષ એ કે - મન:પર્યવજ્ઞાની અને નોસંજ્ઞોપયુક્તને સમ્યક્દષ્ટિ તિર્યંચયોનિકની માફક કહેવા. અલેશ્યી, કેવળજ્ઞાની, અવેદક, અકષાયી, અયોગી આ બધાં એક પણ આયુ ન બાંધે, તેઓ ઔધિક જીવવત છે. બાકી પૂર્વવત્. વ્યંતર-જ્યોતિષ્ક-વૈમાનિક, અસુરકુમારવત્ છે. ભગવન ! ક્રિયાવાદી જીવો ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક ? ગૌતમ! ભવસિદ્ધિક છે, અભવસિદ્ધિક નથી. ભગવન્! અક્રિયાવાદી જીવો, શું ભવસિદ્ધિક છે ? ગૌતમ ! બંને છે, એ રીતે અજ્ઞાન-વિનયવાદી જાણવા. ભગવન્સલેશ્યી ક્રિયાવાદી જીવો ભવસિદ્ધિક છે. પ્રશ્ન ? ગૌતમ! ભવસિદ્ધિક છે, અભવસિદ્ધિક નથી. એ રીતે અજ્ઞાન-વિનયવાદી જાણવા. એ પ્રમાણે યાવત્ શુક્લલેશ્યી જીવો સલેશ્યીવત્ જાણવા. ભગવદ્ ! અલેશ્યી ક્રિયાવાદી જીવો શું ભવ૦ પ્રશ્ન? ગૌતમ! ભવસિદ્ધિક છે, અભયસિદ્ધિક નથી. એ રીતે આ અભિશાપથી કૃષ્ણપાક્ષિક ત્રણે સમવસરણમાં ભજનાએ છે. શુક્લપાક્ષિક ચારે સમોસરણમાં ભવસિદ્ધિક છે, અભવસિદ્ધિક નથી. સમ્યગદૃષ્ટિ, અલેશ્યી સમાન. મિથ્યાદૃષ્ટિ, કૃષ્ણપાક્ષિક સમાન. મિશ્રદષ્ટિ બે જ સમોસરણમાં અલેશ્યી. સમાન. જ્ઞાની યાવતુ કેવળજ્ઞાની ભવસિદ્ધિક છે, અભવસિદ્ધિક નથી. અજ્ઞાની યાવત્ વિર્ભાગજ્ઞાની, કૃષ્ણપાક્ષિક સમાન. ચારે સંજ્ઞામાં સલેશ્યી સમાન. નોસંજ્ઞોપયુક્ત, સમ્યગદૃષ્ટિ સમાન. સવેદક યાવત્ નપુંસકવેદક, સલેક્શી સમાન. સકષાયી યાવત્ લોભકષાયી, સલેક્શીવત્ અકષાયી, સમ્યગદષ્ટિ સમાન, સયોગી યાવત્ કાયયોગી, સલેશ્યી. સમાન, અયોગી, સમ્યમ્ દષ્ટિ સમાન, સાકાર-અનાકારોપયુક્ત, સલેશ્યી સમાન. એ પ્રમાણે નૈરયિકો પણ કહેવા. વિશેષ એ - જે જેને હોય તે જાણવું. એ પ્રમાણે અસુરકુમારવત્ યાવત્ સ્વનિત કુમાર. પૃથ્વીકાયિક સર્વ સ્થાનોમાં વચ્ચેના બે સમોસરણમાં ભવસિદ્ધિક-અભવસિદ્ધિક બંને છે. એ પ્રમાણે વનસ્પતિકાય સુધી જાણવુ. બે-ત્રણ-ચાર ઇન્દ્રિયવાળા એ પ્રમાણે જ. વિશેષ એ કે - સમ્યત્વ અવધિઆભિનિબોધિક-શ્રુતજ્ઞાનમાં આ વચ્ચેના બે સમોસરણમાં ભવસિદ્ધિક છે, અભવસિદ્ધિક નથી. બાકી પૂર્વવતુ. પંચેન્દ્રિય તિર્યંચયોનિક, નૈરયિકવતું. વિશેષ એ કે જે જેટલું હોય તે જાણવુ. મનુષ્ય, ઔધિક જીવ સમાન. વ્યંતરજ્યોતિષ્ક-વૈમાનિક, અસુરકુમાર સમાન. ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે. શતક-૩૦, ઉદ્દેશો-૨ સૂત્ર–૧૦૦૦ અનંતરોત્પન્ન નૈરયિક શું ક્રિયાવાદી પ્રશ્ન ? ગૌતમ ! ક્રિયાવાદી યાવતુ વૈનયિકવાદી પણ છે. ભગવન્! સલેશ્યી અનંતરોપપન્નક નૈરયિક શું ક્રિયાવાદી છે ? પૂર્વવતુ. એ પ્રમાણે જેમ ઉદ્દેશા-1-માં નૈરયિક વક્તવ્યતા કહી, તેમ અહીં પણ કહેવા. વિશેષ એ કે - અનંતરોપપત્રક નૈરયિકમાં જે જેને છે, તે તેને કહેવું. એ પ્રમાણે સર્વે જીવો, વૈમાનિક સુધી જાણવુ. વિશેષ એ - અનંતર ઉત્પન્નકમાં જ જેને હોય, તે તેને કહેવુ. ભગવન્ક્રિયાવાદી અનંતરોત્પન્ન નૈરયિક શું નૈરયિકાયુ બાંધે પ્રશ્ન ? ગૌતમ ! એકે પણ આયુ ન બાંધે. આ રીતે અક્રિયા આદિ ત્રણે વાદી કહેવા. ભગવન્સલેશ્યી ક્રિયાવાદી અનંતરોત્પન્ન નૈરયિક, નૈરયિક આયુ બાંધે ? ગૌતમ ! એક પણ આયુ ના બાંધે. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. એ પ્રમાણે સર્વે સ્થાનોમાં અનંતરોત્પન્ન નૈરયિક કોઈ જ આયુ ન બાંધે, તેમ અનાકારોપયુક્ત સુધી કહેવું. એ રીતે વૈમાનિક સુધી કે જેને હોય તે તેને કહેવું. ભગવદ્ ! ક્રિયાવાદી અનંતરોત્પન્ન નૈરયિક ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક ? ગૌતમ! તે ભવસિદ્ધિક છે, અભવસિદ્ધિક નથી. અક્રિયાવાદી વિશે પ્રશ્ન ? ગૌતમ! તે ભવસિદ્ધિક પણ છે, અભવસિદ્ધિક પણ છે. એ પ્રમાણે અજ્ઞાનવાદી અને વિનયવાદી પણ જાણવા. ભગવન! સલેશ્યી ક્રિયાવાદી અનંતરોત્પન્ન નૈરયિક ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક ? ગૌતમ ! તે ભવસિદ્ધિક મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 208