________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૨૬ સૂત્ર-૭૫ મૃતદેવી ભગવતીને નમસ્કાર. આ શતકમાં 11. ઉદ્દેશકો છે. તે આ - 1. જીવો, 2. વેશ્યા, 3. પાક્ષિક, 4. દષ્ટિ, 5. અજ્ઞાન, 6. જ્ઞાન, 7. સંજ્ઞા, 8. વેદ, 9. કષાય, 10. ઉપયોગ, 11. યોગ. શતક-૨૬, ઉદ્દેશો-૧ જીવ ' ' સૂત્ર-૯૭૬, 77 976. તે કાળે, તે સમયે રાજગૃહમાં યાવત્ આમ પૂછ્યું - ભગવદ્ ! જીવે, 1. પાપકર્મ બાંધ્યું, બાંધે છે, બાંધશે ? 2. બાંધ્યું. બાંધે છે, બાંધશે નહીં ? 3. બાંધ્ય, બાંધતો નથી, બાંધશે? 4. બાંધ્યું છે, બાંધતો નથી, બાંધશે. નહીં? ગૌતમ! 1. કેટલાકે બાંધ્યું છે, બાંધે છે, બાંધશે. 2. કેટલાકે બાંધ્યું છે, બાંધે છે, બાંધશે નહીં. 3. કેટલાકે બાંધ્યું છે, બાંધતો નથી, બાંધશે. 4. કેટલાકે બાંધ્યું છે, બાંધતો નથી, બાંધશે નહીં. બાંધ્યું છે, બાંધે છે, બાંધશે ? 2. બાંધ્યું છે, બાંધે છે, બાંધશે નહીં? પ્રશ્નો. ગૌતમ! કેટલાકે બાંધ્યું છે, બાંધે છે, બાંધશે. એ પ્રમાણે ચારે ભંગ કહેવા. ભગવદ્ ! કૃષ્ણલેશ્યી જીવે પાપકર્મ બાંધ્ય પ્રશ્ન ? ગૌતમ! કેટલાકે બાંધ્યું છે, બાંધે છે, બાંધશે. કેટલાકે બાંધ્યું છે, બાંધે છે, બાંધશે નહીં. એ પ્રમાણે યાવત્ પદ્મવેશ્યા. બધામાં પહેલો, બીજો ભંગ કહેવો. શુક્લ લેક્શીને સલેશ્યની જેમ ચારે ભંગ કહેવા. અલેશ્યી જીવે પાપકર્મ બાંધ્યું છે પ્રશ્ન? ગૌતમ! બાંધ્યું છે, બાંધતો નથી, બાંધશે નહીં ભગવન્! કૃષ્ણ પાક્ષિક જીવે પાપકર્મ બાંધ્ય પ્રશ્ન ? ગૌતમ! કેટલાક બાંધ્યું છે, પહેલો-બીજો ભંગ કહેવો. ભગવદ્ ! શુક્લપાક્ષિક જીવે પ્રશ્ન ? ગૌતમ! ચારે ભંગ કહેવા. 77. સમદષ્ટિને ચાર ભંગો. મિથ્યાદૃષ્ટિને પહેલો-બીજો ભંગ. સમ્યમ્ મિથ્યાદષ્ટિને એ પ્રમાણે જ જાણવુ. જ્ઞાનીને ચારે ભંગો છે. આભિનિબોધિક જ્ઞાની યાવત્ મન:પર્યવજ્ઞાનીને ચાર ભંગો છે. કેવળજ્ઞાનીને છેલ્લો ભંગ, જેમ અલેશ્યી. અજ્ઞાનીને પહેલો-બીજો, એ રીતે મતિઅજ્ઞાની આદિ ત્રણે જાણવા. આહાર સંજ્ઞોપયુક્ત યાવત્ પરિગ્રહ સંજ્ઞોપયુક્તને પહેલો-બીજો ભંગ, નોસંજ્ઞોપયુક્તને ચારે ભંગો જાણવા. સવેદકને પહેલો-બીજો ભંગ, સ્ત્રીવેદક, પુરુષવેદક, નપુંસકવેદકને પણ તેમજ છે. અવેદકને ચારે ભંગો જાણવા. સકષાયીને ચારે ભંગ, ક્રોધ યાવત્ માયા કષાયીને પહેલો-બીજો ભંગ. લોભકષાયીને ચારે ભંગ. ભગવદ્ ! અકષાયી જીવે પાપકર્મ બાંધ્ય પ્રશ્ન ? ગૌતમ! અકષાયીને ત્રીજો, ચોથો ભંગ જાણવો. સયોગીને ચારે ભંગો છે. એ રીતે મન-વચન-કાય યોગીને પણ જાણવા. અયોગીને છેલ્લો ભંગ જાણવો. સાકાર અને અનાકાર ઉપયોગીને ચારે ભંગો જાણવા. સૂત્ર-૯૭૮, 79 78. ભગવદ્ ! નૈરયિકે પાપકર્મને બાંધ્ય, બાંધે છે, બાંધશે ? ગૌતમ! કેટલાક બાંધે, પહેલો-બીજો ભંગ. ભગવન્! સલેશ્યી નૈરયિક પાપકર્મ ? પૂર્વવતું. એ પ્રમાણે કૃષ્ણલેશ્યી, નીલલેશ્યી, કાપોતલેશ્યીને જાણવા. એ પ્રમાણે કૃષ્ણપાક્ષિક, શુલપાક્ષિકને. સમ્યગદષ્ટિ, મિથ્યાદષ્ટિ, મિશ્રદષ્ટિને. જ્ઞાની, આભિનિબોધિક યાવત્ અવધિજ્ઞાનીને અજ્ઞાની, મતિ આદિ ત્રણે અજ્ઞાનીને યાવત્ પરિગ્રહ સંજ્ઞોપયુક્તને. સવેદકને, નપુંસક વેદકને. સકષાયી યાવતુ લોભ-કષાયીને. સયોગી, મન-વચન-કાય યોગીને. સાકાર-અનાકાર ઉપયુક્તને. આ બધા પદમાં પહેલો અને બીજો ભંગ કહેવા. મુનિ દીપરત્નસાગર કૃત્ “(ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 200