SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' શું છે ? સાત ભેદે છે - અપાપક યાવત્ અભૂતાભિશંકિત. - x . તે અપ્રશસ્ત વચન વિનય શું છે? સાત ભેદે છે - પાપક, સાવદ્ય યાવત્ ભૂતાભિશંકિત. - - તે આ વચન વિનય છે. તે કાય વિનય શું છે ? બે ભેદે છે - પ્રશસ્તકાય વિનય, અપ્રશસ્તકાય વિનય. તે પ્રશસ્ત કાયવિનય શું છે ? સાત ભેદે છે - ઉપયોગપૂર્વક - 1. ગમન, 2. સ્થાન, 3. નિશીદન, 4. પડખું બદલું, 5. ઉલ્લંઘન, 6. પ્રલંઘન, 7. સર્વેન્દ્રિય યોગjજનતા. તે પ્રશસ્તકાય વિનય છે. તે અપ્રશસ્ત કાયવિનય શું છે ? સાત ભેદે છે. અનાયુક્ત-ઉપયોગરહિત. ગમન યાવત્ સર્વેન્દ્રિય યોગ યુજનતા. - 4.x. તે લોકોપચાર વિનય શું છે? સાત ભેદે છે - અભ્યાસવૃત્તિતા, પરછંદાનવર્તિતા, કાર્ય હેતુ, કૃતપ્રતિક્રિયા, આત્મ ગવેષણા, દેશકાલજ્ઞતા અને સર્વાર્થ-અપ્રતિલોમતા. તે લોકોપચાર વિનય છે, તે આ વિનય છે. 966. તે વૈયાવચ્ચ શું છે ? તે દશ ભેદે છે - આચાર્ય વૈયાવચ્ચ, ઉપાધ્યાય વૈયાવચ્ચ, સ્થવિર વૈયાવચ્ચ, તપસ્વી, ગ્લાન, શૈક્ષ વૈયા, કુળવૈ૦, ગણવૈ૦, સંઘવૈ૦ અને સાધર્મિક વૈયાવચ્ચ. તે આ વૈયાવચ્ચ છે. 97. તે સ્વાધ્યાય શું છે ? પાંચ ભેદે છે, તે આ - વાંચના, પ્રતિપ્રચ્છના, પરિવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા. તે આ સ્વાધ્યાય છે. 968. તે ધ્યાન શું છે? ચાર ભેદે છે, તે આ - આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુક્લધ્યાન. 1. આર્તધ્યાન ચાર ભેદે છે - 1. અમનોજ્ઞ સંપ્રયોગ સંપ્રાપ્તિમાં તેના વિયોગની ચિંતા કરવી. 2. મનોજ્ઞ સંપ્રયોગ સંપ્રાપ્તિમાં તેના અવિયોગની ચિંતા કરવી. 3. આતંક (રોગાદિ) સંપ્રયોગ સંપ્રાપ્તિમાં તેના વિયોગની ચિંતા કરવી. 4. પરિસેવિત કામજોગ સંપ્રયોગ સંપ્રાપ્તિમાં તેના અવિયોગની ચિંતા કરવી. આર્તધ્યાનના ચાર લક્ષણો છે. તે આ - કંદનતા, શોચનતા(શોક કરવો), તપનતા(આંસુ પાડવા) અને પરિવેદનતા(વિલાપ કરવો). 2. રૌદ્રધ્યાન ચાર ભેદે છે - હિંસાનુબંધી, મૃષાનુબંધી, તેયાનુબંધી, સંરક્ષણાનુબંધી. રૌદ્રધ્યાનના ચાર લક્ષણો છે. ઓસન્ન દોષ, બહુલ દોષ, અજ્ઞાન દોષ, આમરણાંત દોષ. 3. ધર્મધ્યાન ચાર ભેદે અને ચતુપ્રત્યવતાર છે - આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાકવિચય, સંસ્થાના વિચય. ધર્મધ્યાનના ચાર લક્ષણ છે - આજ્ઞારૂચિ, નિસર્ગરૂચિ, સૂત્રરૂચિ, અવગાઢરૂચિ. | ધર્મધ્યાનના ચાર આલંબન છે - વાચના, પ્રતિપૃચ્છના, પરિવર્તના, ધર્મકથા. ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષા છે. - એકવાનુપ્રેક્ષા, અનિત્યાનુપ્રેક્ષા, અશરણાનુપ્રેક્ષા, સંસારાનુપ્રેક્ષા. 4. શુક્લધ્યાન ચાર ભેદે અને ચતુપ્રત્યાવતાર છે - પ્રથ_વિતર્ક સવિચાર, એકત્વવિતર્ક અવિચાર, સૂક્ષ્મક્રિયા અનિવર્તી અને સમુચ્છિન્નક્રિયા અપ્રતિપાતિ. શુક્લ ધ્યાનના ચાર લક્ષણો છે - શાંતિ, મુક્તિ, આર્જવ, માર્દવ. શુક્લ ધ્યાનના ચાર આલંબન છે - અવ્યથા, અસંમોહ, વિવેક અને વ્યુત્સર્ગ. શુક્લધ્યાનની ચાર અનુપ્રેક્ષા છે. -અનંતવર્તિતાનુપ્રેક્ષા, વિપરિણામાનુપ્રેક્ષા, અશુભાનુપ્રેક્ષા, અપાયાનુપ્રેક્ષા. 969. તે વ્યુત્સર્ગ શું છે? બે ભેદે છે - દ્રવ્ય વ્યુત્સર્ગ, ભાવ વ્યુત્સર્ગ. તે દ્રવ્ય વ્યુત્સર્ગ શું છે ? તે ચાર ભેદે છે –ગણ વ્યુત્સર્ગ, શરીર વ્યુત્સર્ગ, ઉપધિ વ્યુત્સર્ગ, ભક્તપાન વ્યત્સર્ગ. - . તે ભાવ વ્યુત્સર્ગ શું છે ? તે ત્રણ ભેદે છે - કષાય વ્યુત્સર્ગ, સંસાર વ્યુત્સર્ગ, કર્મવ્યુત્સર્ગ. તે કષાય વ્યુત્સર્ગ શું છે ? ચાર ભેદે છે - ક્રોધ વ્યુત્સર્ગ, માન વ્યુત્સર્ગ, માયા વ્યુત્સર્ગ, લોભ વ્યુત્સર્ગ. - 4 - તે સંસાર વ્યુત્સર્ગ શું છે? તે ચાર ભેદે છે - નૈરયિક સંસાર વ્યુત્સર્ગ યાવત્ દેવ સંસાર વ્યુત્સર્ગ. તે આ સંસાર વ્યુત્સર્ગ છે. તે કર્મબુત્સર્ગ શું છે? તે આઠ ભેદે છે - જ્ઞાનાવરણીય કર્મ વ્યુત્સર્ગ યાવત્ અંતરાય કર્મ વ્યુત્સર્ગ. તે આ કર્મ વ્યુત્સર્ગ છે. તે આ ભાવવ્યુત્સર્ગ કહ્યો. તે અત્યંતર તપ કહ્યું. ભગવદ્ ! તે એમ જ છે. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 198
SR No.035606
Book TitleAgam 05 Bhagwati 02 Gujarati Translation
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2020
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_bhagwati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy