________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ઉત્કૃષ્ટથી દેશ ન્યૂન 29 વર્ષ ઓછા પૂર્વકોડી. સૂક્ષ્મ સંપરાય સંયતને નિર્ચન્વવત્ જાણવા. યથાખ્યાત, સામાયિક સંયતવત્ છે. ભગવન્! સામાયિક સંયતો કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ! સર્વકાળ. છેદોપસ્થાપનીયનો પ્રશ્ન? ગૌતમ! જઘન્યથી 250 વર્ષ, ઉત્કૃષ્ટથી 50 લાખ કરોડ સાગરોપમ. પરિહાર વિશુદ્ધિકોનો પ્રશ્ન ? ગૌતમ! જઘન્યથી દેશોના 200 વર્ષ, ઉત્કૃષ્ટથી દેશોન બે પૂર્વકોડી. સૂક્ષ્મ સંપરાય સંયતો વિશે પ્રશ્ન ? ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. યથાખ્યાત સંયતોને સામાયિક સંયતો માફક જાણવા. ભગવદ્ સામાયિક સંયતને કેટલા કાળનું અંતર હોય ? ગૌતમ! જઘન્યથી પુલાવત્. એ રીતે યથાખ્યાત સંયત સુધી જાણવુ. ભગવન ! સામાયિક સંયતોને કેટલા કાળનું અંતર રહે ? અંતર નથી. છેદોપસ્થાપનીયનો પ્રશ્ન ? ગૌતમ! જઘન્યથી 63,000 વર્ષ, ઉત્કૃષ્ટથી 18 કોડાકોડી સાગરોપમ. પરિહારવિશુદ્ધિકોનો પ્રશ્ન ? ગૌતમ! જઘન્યથી 84,000 વર્ષ, ઉત્કૃષ્ટથી 18 કોડાકોડી સાગરોપમ. સૂક્ષ્મસંપરાય સંયતો નિર્ચન્થો મુજબ. યથાવાતો. સામાયિકસંયતો મુજબ. ભગવદ્ ! સામાયિકસંયતને કેટલા સમુઘાતો છે ? ગૌતમ! છ સમુદ્યાત, કષાયકુશીલ માફક છે. એ રીતે છેદોપસ્થાપનીયના જાણવા. પરિહાર વિશુદ્ધિક, પુલાવત્. સૂક્ષ્મસંપરાય, નિર્ચન્થ મુજબ અને યથાખ્યાત સંયતના સ્નાતક મુજબ જાણવા. ભગવન્! સામાયિક સંયત શું લોકના સંખ્યાત ભાગમાં હોય કે અસંખ્યાત ભાગમાં પ્રશ્ન. ગૌતમ! સંખ્યાત ભાગમાં ન હોય. આદિ પુલાક સમાન જાણવુ. એ પ્રમાણે સૂક્ષ્મસંપરાય સુધી જાણવુ. યથાખ્યાત સંયતને સ્નાતકવત્ જાણવા. ભગવન્! સામાયિક સંયત શું લોકના સંખ્યાતમાં ભાગને સ્પર્શે ? ક્ષેત્ર અવગાહના સમાન સ્પર્શના કહેવી. ભગવન્! સામાયિક સંયત ક્યા ભાવમાં હોય ? ગૌતમ! પથમિક ભાવમાં હોય છે. એ રીતે સૂક્ષ્મ સંપરાય સુધી જાણવુ. યથાખ્યાત સંપરાય વિશે પ્રશ્ન ? ગૌતમ! ઔપથમિક કે ક્ષાયિક ભાવમાં હોય. ભગવન્સામાયિક સંયતો એક સમયમાં કેટલા હોય ? ગૌતમ! પ્રતિપદ્યમાનકને આશ્રીને સર્વ કથના કષાયકુશીલ વત્ કહેવું. છેદોપસ્થાપનીયોનો પ્રશ્ન ? ગૌતમ! પ્રતિપદ્યમાનને આશ્રીને કદાચ હોય, કદાચ ન હોય, જો હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ હોય. ઉત્કૃષ્ટ શત પૃથત્વ હોય. પૂર્વ પ્રતિપન્નને આશ્રીને કદાચ હોય, કદાચ ન હોય. જો હોય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને કોડી શત પૃથત્વ હોય. પરિહારવિશુદ્ધિકો, પુલાકોવત્ જાણવા. સૂક્ષ્મ સંપરાય સંયતો, નિર્ચન્થ વત્ જાણવા. યથાખ્યાત સંયતો વિશે પ્રશ્ન ? ગૌતમ! પ્રતિપદ્યમાનને આશ્રીને કદાચ હોય, કદાચ ન હોય. જો હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ હોય અને ઉત્કૃષ્ટથી 162 હોય, જેમાં 108 સપક, 54 ઉપશમક હોય. પૂર્વપ્રતિપન્નને આશ્રીને જઘન્ય અને ઉત્કૃષ્ટથી કોડી પૃથત્વ હોય. ભગવન્આ સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત સયતોમાં કોણ, કોનાથી ચાવતુ વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડા સૂક્ષ્મસંપરાય સંયતો છે, પરિહાર વિશુદ્ધિકો સંખ્યાતગણા, યથાખ્યાત સંયતો સંખ્યાલગણા, છેદોપસ્થાપનીય સંયતો સંખ્યાતગણા, સામાયિક સંયતો સંખ્યાલગણા છે. સૂત્ર-૯૫૪ થી 59 54. પ્રતિસેવનાઆલોચના દોષ, આલોચનાઈ, સામાચારી, પ્રાયશ્ચિત્ત અને તપ. આ છ દ્વાર છે.. 55. ભગવદ્ ! પ્રતિસેવના(પ્રતિકુળ આચરણ) કેટલા ભેદે છે ? ગૌતમ ! દશ ભેદે છે- દર્પ(અહંકાર), પ્રમાદ, અનાભોગ(અજાણતા), આતુર, આપત્તિ, સંકીર્ણ, સહસાકાર, ભય, પ્રદ્વેષ અને વિમર્શ આ દશ પ્રતિસેવના છે.. 57. આલોચના દોષ દશ કહ્યા - મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 195