SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' હીન છે, તુલ્ય નથી. અધિક નથી, અનંતગુણ હીન છે. એ રીતે યથાખ્યાત સંયતના પણ જાણવા. એ પ્રમાણે છેદોપસ્થાપનીય પણ નીચેના ત્રણની સાથે છ સ્થાન પતિત અને ઉપરના બે સાથે તે જ પ્રમાણે અનંતગુણહીન છે. પરિહાર વિશુદ્ધિકને છેદોપસ્થાપનીય માફક જાણવા. ભગવન્! સૂક્ષ્મ સંપરાય સંયત, સામાયિક સંયતના પરસ્થાનનો પ્રશ્ન ? ગૌતમ ! હીન કે તુલ્ય નથી, અધિક છે. અનંતગુણ અધિક છે. એ પ્રમાણે છેદોપસ્થાપનીય અને પરિવાર વિશુદ્ધિની સાથે સ્વસ્થાનથી કદાચ હીન, કદાચ તુલ્ય, કદાચ અધિક છે. જો હીન હોય તો અનંતગુણહીન, જો અધિક હોય તો અનંતગુણ અધિક હોય છે. સૂક્ષ્મ સંપરાય સંયત, યથાખ્યાત સંયતના પરસ્થાનમાં પ્રશ્ન ? ગૌતમ! હીન છે, તુલ્ય કે અધિક નહીં. અનંતગુણ હીન છે. યથાખ્યાત, નીચેના ચારમાં હીન કે તુલ્ય નહીં, અધિક છે - અનંતગુણ અધિક છે. સ્વસ્થાનમાં હીન નથી, તુલ્ય છે, અધિક નથી. ભગવન્આ સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત સંયતોના જઘન્યઉત્કૃષ્ટ ચારિત્રપર્યવોમાં કોણ, કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ! સામાયિક સંયતના અને છેદોપસ્થાપનીય સંયતના આ જઘન્ય ચારિત્રપર્યવો બંને તુલ્ય અને સૌથી થોડા છે. પરિહારવિશુદ્ધિક સંયતના જઘન્ય ચારિત્રપર્યવો અનંતગણા છે, તેના જ ઉત્કૃષ્ટ ચારિત્રપર્યવો અનંતગણા છે. સામાયિક અને છેદોપસ્થાપનીય સંયતના ઉત્કૃષ્ટ ચારિત્રપર્યવો અનંતગણા છે, તેનાથી યથાખ્યાત સંયતના અજઘન્ય-ઉત્કૃષ્ટ ચારિત્રપર્યવો અનંતગણા છે. ભગવદ્ ! સામાયિકસંયત શું સયોગી હોય કે અયોગી ? ગૌતમ ! સયોગી, પુલાવત્ જાણવા. એ પ્રમાણે યાવત્ સૂક્ષ્મસંપરાય સંયત કહેવા. યથાવાતને સ્તાનકવત્ જાણવા. ભગવદ્ ! સામાયિક સંયત શું સાકારોપયુક્ત છે કે અનાકારોપયુક્ત ? ગૌતમ! સાકારોપયુક્ત, પુલાકવત્ છે. એ રીતે યથાખ્યાત સુધી કહેવું. માત્ર સૂક્ષ્મ સંપરાય, સાકારોપયુક્ત હોય, અનાકારોપયુક્ત ન હોય. ભગવન્! સામાયિક સંયત શું સકષાયી હોય કે અકષાયી ? ગૌતમ ! સકષાયી હોય, અકષાયી ન હોય, જેમ કષાયકુશીલ કહ્યા એ પ્રમાણે છેદોપસ્થાપનીય પણ કહેવા. પરિહાર વિશુદ્ધિકને પુલાકવત્ કહેવા. સૂક્ષ્મ સંપરાયનો પ્રશ્ન ? ગૌતમ! સકષાયી હોય, અકષાયી નહીં. જો સકષાયી હોય તો હે ભગવન્! તે કેટલા કષાયોમાં એક જ સંજવલન લોભમાં હોય. યથાખ્યાત સંયતને નિર્ચન્વવત્ કહેવા. ભગવન! સામાયિક સંયત, શું સલેશ્યી હોય કે અલેશ્યી ? ગૌતમ! સલેશ્યી હોય, જેમ કષાયકુશીલ કહ્યા. એ રીતે છેદોપસ્થાપનીય કહેવા. પરિહારવિશુદ્ધિક, પુલાકવત્ કહેવા. સૂક્ષ્મસંપરાય, નિર્ચન્વવત્ કહેવા. યથાવાતા સ્નાતકવતુ કહેવા. માત્ર સલેશ્યી હોય, એક શુક્લલેશ્યા હોય. સૂત્ર-૯૪૮ ભગવન્! સામાયિક સંયત, શું વર્ધમાન પરિણામી હોય કે હીયમાન પરિણામી કે અવસ્થિત પરિણામી હોય ? ગૌતમ ! વર્ધમાન પરિણામ, પુલાકવતુ જાણવા. એ રીતે પરિહારવિશુદ્ધિ પર્યન્ત જાણવુ. સૂક્ષ્મ સંપરાયનો પ્રશ્ન ? ગૌતમ! વર્ધમાન કે શ્રીયમાન પરિણામી હોય, અવસ્થિત પરિણામી ન હોય. યથાખ્યાત સંયત, નિર્ચન્થ માફક કહેવા. ભગવન્! સામાયિક સંયત કેટલો કાળ વર્ધમાન પરિણામી હોય ? ગૌતમ ! જઘન્ય એક સમય પુલાવતુ છે. એ રીતે યાવતુ પરિહારવિશુદ્ધિક પણ જાણવા. ભગવદ્ ! સૂક્ષ્મ સંપરાય સંયતનો પ્રશ્ન? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત વર્ધમાન પરિણામી. એ રીતે શ્રીયમાન પરિણામી જાણવા. ભગવદ્ ! યથાખ્યાત સંયત વિશે પ્રશ્ન ? ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અંતર્મુહૂર્ત, વર્ધમાન પરિણામ છે. અવસ્થિત પરિણામ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોડી. સૂત્ર-૯૪૯ થી 951 99. ભગવદ્ ! સામાયિક સંયત કેટલી કર્મપ્રકૃતિ બાંધે ? ગૌતમ ! સાત ભેદે બાંધે, આઠ ભેદે બાંધે આદિ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 193
SR No.035606
Book TitleAgam 05 Bhagwati 02 Gujarati Translation
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2020
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_bhagwati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy