________________ આગમસૂત્ર 5 અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ સૂત્ર-૯૧૪ ભગવદ્ ! પુલાકને કેટલા સંયમ સ્થાન છે ? ગૌતમ! અસંખ્ય. એ પ્રમાણે કષાયકુશીલ સુધી કહેવુ. ભગવદ્ ! નિર્ચન્થને કેટલા સંયમસ્થાન છે ? ગૌતમ ! એક જ અજઘન્યોત્કૃષ્ટ સંયમ સ્થાન. આ પ્રમાણે સ્નાતકને પણ કહેવા. ભગવદ્ ! આ પુલાક-બકુશ-પ્રતિસેવના અને કષાયકુશીલ, નિર્ચન્થ અને સ્નાતકોના સંયમ સ્થાનોમાં કોણ કોનાથી યાવત્ વિશેષ છે ? ગૌતમ! સૌથી થોડા નિર્ચન્થ અને સ્નાતકના એક જ અજઘન્યોત્કૃષ્ટ સંયમ સ્થાન છે, પુલાકના સંયમ સ્થાન અસંખ્યાતગણા, બકુશના સંયમસ્થાન અસંખ્યાતગણા, પ્રતિસેવના-કુશીલના સંયમસ્થાના અસંખ્યાતગણા, કષાય કુશીલના સંયમસ્થાનો અસંખ્યાતગણી છે. સૂત્ર-૯૧૫ થી 918 915. ભગવન્! પુલાકના કેટલા ચારિત્રપર્યવો છે ? ગૌતમ! અનંતા. એ પ્રમાણે સ્નાતક સુધી જાણવુ. ભગવદ્ એક પુલાક, બીજા પુલાકના સ્વસ્થાન સંનિકર્ષથી ચારિત્રપર્યવોથી હીન-તુલ્ય કે અધિક છે? ગૌતમ! કદાચ હીન, કદાચ તુલ્ય, કદાચ અધિક. જો હીન હોય તો અનંત ભાગહીન, અસંખ્યાત ભાગહીન કે સંખ્યાત ભાગહીન. સંખ્યાતગુણ હીન, અસંખ્યાતગુણ હીન કે અનંતગુણ હીન. જો અધિક હોય તો અનંતભાગ અધિક, અસંખ્યાત ભાગ અધિક યાવત્ અનંતગુણ અધિક. ભગવન્! પુલાક ચારિત્ર પર્યાયથી, બકુશના પરસ્થાન સંનિકર્ષથી હીન-તુલ્ય કે અધિક છે ? હીન છે, અનંતગુણ હીન છે. તુલ્યાદિ નથી. આ પ્રમાણે પ્રતિસેવના કુશીલના વિષયમાં પણ કહેવું. કષાયકુશીલ સાથે ષસ્થાન પતિત સ્વસ્થાનવત્ કહેવુ. નિર્ચન્થ, બકુશવત્ જાણવા. સ્નાતક તેમજ છે. ભગવન્બકુશ, પુલાકના પરસ્થાન સંનિકર્ષથી ચારિત્રપર્યાયોની અપેક્ષાએ હીન છે, તુલ્ય છે કે અધિક ? તે હીન કે તુલ્ય નથી, પણ અધિક છે. અનંતગુણ અધિક છે. ભગવદ્ ! બકુશ, બકુશના સ્વસ્થાન સંનિકર્ષથી ચારિત્ર પર્યવથી પ્રશ્ન ? ગૌતમ! કદાચ હીન, કદાચ તુલ્ય, કદાચ અધિક. જો હીન હોય તો ષસ્થાન પતિત છે. ભગવન્! બકુશ, પ્રતિસેવના કુશીલના પરસ્થાન સંનિકર્ષથી ચારિત્રપર્યવોથી શું હીન છે ? છ સ્થાનપતિત છે. એ રીતે કષાયકુશીલ કહેવા. ભગવન્! બકુશ, નિર્ચન્થના પરસ્થાન સંનિકર્ષથી ચારિત્ર પર્યવોથી પૃચ્છા. ગૌતમ! હીન છે, તુલ્ય કે અધિક નથી. અનંતગુણહીન છે. એ રીતે સ્નાતક પણ છે. પ્રતિસેવના કુશીલની આ પ્રમાણે બકુશ વક્તવ્યતા કહેવી. કષાયકુશીલની આ રીતે બકુશવક્તવ્યતા કહેવી. વિશેષ એ કે - પુલાકની સાથે છ સ્થાન પતિત કહેવા. ભગવદ્ ! નિર્ચન્થ, પુલાકના પરસ્થાન સંનિકર્ષથી ચારિત્રપર્યાય વડે પૃચ્છા. ગૌતમ ! હીન કે તુલ્ય નહીં, અધિક છે. અનંતગણ અધિક છે. એ પ્રમાણે કષાયકૂશીલ સુધી કહેવું. ભગવન ! નિર્ચન્થ, બી સ્વસ્થાન સંનિકર્ષ વડે પૃચ્છા. ગૌતમ! તુલ્ય છે. એ રીતે સ્નાતકને જાણવા. ભગવદ્ ! સ્નાતક, પુલાકના પરસ્થાન સંનિકર્ષથી ? એ રીતે નિર્ચન્થની માફક સ્નાતકની વક્તવ્યતા કહેવી. યાવત્ - ભગવન્! સ્નાતક, બીજા સ્નાતકની સ્વસ્થાન સંનિકર્ષથી પૃચ્છા. ગૌતમ ! તુલ્ય છે. ભગવદ્ ! આ પુલાક-બકુશ-પ્રતિસેવના અને કષાયકુશીલ, નિર્ચન્થ અને સ્નાતકના જઘન્ય-ઉત્કર્ષ ચારિત્રપર્યવોમાં કોણ, કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ ! પુલાક અને કષાય કુશીલના જઘન્ય ચારિત્રપર્યાય બંને તુલ્ય છે અને સૌથી થોડા છે. પુલાકના ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યાય અનંતગણા છે. બકુશ અને પ્રતિસેવના કુશીલના આ જઘન્ય ચારિત્ર પર્યાય બંને તુલ્ય અને અનંતગણા છે. બકુશના ઉત્કૃષ્ટ ચારિત્રપર્યાય અનંતગણા છે, પ્રતિસેવના કુશીલના ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યાય અનંતગણા છે. કષાય કુશીલના ઉત્કૃષ્ટ ચારિત્રપર્યાય અનંતગણા, નિર્ચન્થ અને સ્નાતકના અજઘન્યોત્કૃષ્ટ ચારિત્રપર્યવો બંને તુલ્ય અને અનંતગણા છે. 916. ભગવનું ! પુલાક સયોગી હોય કે અયોગી ? ગૌતમ ! સયોગી હોય, અયોગી નહીં. જો સયોગી હોય તો મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 186